બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ; ગૃહ મંત્રાલયનો નિર્દેશ

ઓપરેશન સિંદૂર / તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ; ગૃહ મંત્રાલયનો નિર્દેશ

Last Updated: 12:40 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor: ઓપરેશન સિંદૂર પછી, હવે ગૃહ મંત્રાલયે તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરી દીધી છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Operation Sindoor: ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ અને મોટા પાયે હુમલો કર્યા પછી ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધુ વધી ગયો છે. આ કાર્યવાહી બાદ, તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રો તરફથી આ મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડીજીને નિર્દેશ આપ્યા છે કે સરહદ પર સંપૂર્ણપણે સતર્ક રહે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલમાં, દેશભરમાં મોક ડ્રીલની તૈયારીઓ પણ ચાલી રહી છે.

ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે BSF, CRPF, ITBP, SSB અને CISF જેવા તમામ મુખ્ય અર્ધલશ્કરી દળોના જવાનો સંપૂર્ણ સતર્કતા સાથે ફરજ પર હાજર રહે. સરહદી વિસ્તારોમાં વધારાની તૈનાતી કરવામાં આવી રહી છે અને ગુપ્ત માહિતીના આધારે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ભારતની કાર્યવાહીથી ભડક્યું પાકિસ્તાન

આ હુમલા પછી, પાકિસ્તાને પણ સ્વીકાર્યું કે ભારતે આ હુમલો કર્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ભડકી ઉઠ્યું છે અને વળતો હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે રાત્રે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ભારતના હુમલાનો જવાબ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય કોઈપણ બદલાની કાર્યવાહી કે આતંકવાદી કાવતરાને રોકવા માટે લેવામાં આવ્યો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સરહદો પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે.

Vtv App Promotion

હાઈ એલર્ટની સ્થિતિ

રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ, મેટ્રો અને સંવેદનશીલ મથકો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દરેક ગતિવિધિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભારત સામે પંગો મસૂદ અઝહરને ભારે પડ્યો, પૂરો પરિવાર સાફ, 14નાં મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો

ભારતે કર્યું ઓપરેશન સિંદૂર

જણાવી દઈએ કે ભારતીય સેનાએ મોડી રાતે લગભગ સાડા બાર વાગ્યે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. 'ઓપરેશન સિંદૂર' હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળો પર એક સાથે હવાઈ હુમલા કર્યા છે. આમાં લાહોરમાં આતંકવાદી હાફિઝ સઈદ અને બહાવલપુરમાં આતંકવાદી મસૂદ અઝહરના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા. ભારતીય સેનાએ પીઓકેમાં મુઝફ્ફરાબાદ, ધમોલ, કોટલી અને બાઘમાં આવેલા આતંકીઓના ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News India-Pakistan Tension Operation Sindoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ