બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:43 PM, 14 July 2025
Khan Sir News: રાષ્ટ્રીય બજરંગ દળએ બિહારના પટનાનાં નિવાસી ચર્ચિત શિક્ષક ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરના વિરૃધ એક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બજરંગ દળનું કેહવું છે કે ખાન સર દ્વારા જમ્મુ કાશ્મીરના અંતિમ ડોગરા શાશક મહારાજા હારી સિંહ અને તેના પરિવારની મહિલાઓ વિરૃધ કરાયેલી અપમાન જનક ટીપ્પણીથી ડોગરા સમાજ અત્યંત રોષે ભરાયેલો છે. આ ટીપ્પણી ન કેવળ ઐતિહાસિક વિરાસતનું અપમાન કરે છે, પરંતુ સમાજમાં દ્વેષ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
"कश्मीर महाराजा हरि सिंह की गलती थी, कश्मीर को स्विट्ज़रलैंड बनाना चाहते थे, उनके परिवार की औरतों को लेकर गया है पाकिस्तान, हरि सिंह विशुद्ध लालची और मतलबी थे" Khan Sir https://t.co/p8DuzYVEA3 pic.twitter.com/BR2WA71k5I
— aditi tyagi (@aditi_tyagi) July 10, 2025
બજરંગ દળે શું કહ્યું ?
ADVERTISEMENT
રાષ્ટ્રીય બજરંગ દળે અ પ્રકારની અભદ્ર ભાષા અને માનસિકતાને કડક સબ્દો માં નિંદા કરી છે. પ્રદેશ અધ્યક્ષ રાકેશ બજરંગીએ આજે એક નિવેદનમાં કહ્યું હતું કે આવા લોકોને સમાજમાં જગ્યા ન મળવી જોઈએ, જે આપડા ગૌરવશાળી ઈતિહાસ અને નારી સામ્માન પર અભદ્ર ટીપ્પણી કરે. અમે માંગ કરીએ છીએકે બિહાર સરકાર અંદ જમ્મુ કાશ્મીર સરકાર ફૈઝલ ખાન ઉપર ભારતીય દંડ સહિતાની કલમો અંતર્ગત તાત્કાલિક FIR દાખલ કરે, તેને એર્રેસ્ટ કરી કાનુન તેને કડકમાં કડક સજા આપે. તેમને કહ્યું કે ડોગરા સમાજનાં ગૌરવની રક્ષા કરવા માટે બજરંગ દળ હમેશા તત્પર રેહશે અને જો જલ્દી થી જલ્દી કાર્યવાહી કરવામાં ન આવવી તો રસ્તા પર અંદોલન કરીશું અને લોકતાન્ત્રિક રીતે અમે વિરોધ કરીશું.

ADVERTISEMENT
ખાન સરે શું કહ્યું?
ખાન સરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે 'જમ્મુ અને કાશ્મીરને ભારતમાં સામેલ કરવામાં વિલંબ કરવો એ કાશ્મીરના મહારાજા હરિ સિંહની ભૂલ હતી. તેઓ કાશ્મીરને સ્વિટ્ઝર્લૅન્ડ બનાવવા માંગતા હતા, પાકિસ્તાને તેમના સગાસંબંધીઓને છીનવી લીધા. હરિ સિંહ સંપૂર્ણપણે લોભી અને સ્વાર્થી હતા.'
ADVERTISEMENT
આ પણ વાંચો: અંગુઠા છાપ પાયલોટો પાકિસ્તાનની ફ્લાઇટ કરાંચીના બદલે સીધી સાઉદી પહોંચી ગઇ
મહારાજા હરિ સિંહ કોણ હતા?
ADVERTISEMENT
કાશ્મીરના મહારાજા હરિ સિંહ જમ્મુ અને કાશ્મીર રાજ્યના છેલ્લા શાસક હતા. તેમનો જન્મ 23 સપ્ટેમ્બર 1895 ના રોજ થયો હતો અને 26 એપ્રિલ 1961 ના રોજ તેમનું અવસાન થયું હતું. તેઓ મહારાજા પ્રતાપ સિંહના ભત્રીજા અને રાજા અમર સિંહના પુત્ર હતા. 1925 માં તેમના કાકા મહારાજા પ્રતાપ સિંહના મૃત્યુ પછી હરિ સિંહ જમ્મુ અને કાશ્મીરના શાસક બન્યા. 1947 માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી, 26 ઓક્ટોબર 1947 ના રોજ, તેમણે જમ્મુ અને કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.