બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ટ્રાવેલ બેગ્સનો ઢગલો, એરપોર્ટ પર લાંબી કતાર, આજે ફરી 400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ

ત્રાહિમામ / ટ્રાવેલ બેગ્સનો ઢગલો, એરપોર્ટ પર લાંબી કતાર, આજે ફરી 400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ

Priykant Shrimali

Last Updated: 11:50 AM, 5 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IndiGo Flights Cancelled : એક દિવસમાં 400થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ, મુસાફરોમાં ભારે અસંતોષ, એક જ ક્લિકમાં જાજાણો ક્યારે સુધરશે પરિસ્થિતિ ?

IndiGo Flights Cancelled : દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા કેટલાંક દિવસોથી ગંભીર કામગીરીના સંકટમાંથી પસાર થઈ રહી છે. માત્ર આજે જ શુક્રવારે દિલ્હી સહિત દેશભરના એરપોર્ટ્સ પર 400થી વધુ ફ્લાઇટ્સ રદ થતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. થોડા દિવસો પહેલા 500થી વધુ ફ્લાઇટ્સ રદ થવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. એરલાઇનની કામગીરીમાં આવેલા આ વિક્ષેપને કારણે મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે, ટિકિટ રદ્દ થઈ રહી છે, અને સોશિયલ મીડિયામાં નારાજગીની લહેર ફાટી નીકળી છે.

શું કહ્યું ઇન્ડિગોએ?

ઇન્ડિગોનું કહેવું છે કે, છેલ્લા બે દિવસમાં તેનું નેટવર્ક “નોંધપાત્ર રીતે ખોરવાઈ ગયું” છે. એરલાઇનનું જણાવવું છે કે, 8 ડિસેમ્બરથી કોઈ ફ્લાઇટ વિલંબ નહીં રહે. 10 ફેબ્રુઆરી 2026 સુધી સ્થિર કામગીરી પૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દેવાની આશા છે.

વિક્ષેપનું મુખ્ય કારણ : FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન) નિયમોનો બીજો તબક્કો, અને તેની યોજના બનાવવામાં થયેલી ખામી

કયા એરપોર્ટ્સ પર કેટલી ફ્લાઇટ્સ રદ?

મુંબઈ એરપોર્ટ

  • કુલ રદ ફ્લાઇટ્સ: 104
  • 53 પ્રસ્થાન
  • 51 આગમન

બેંગલુરુ એરપોર્ટ

  • 52 આગમન
  • 50 પ્રસ્થાન

હૈદરાબાદ

  • 43 આગમન
  • 49 પ્રસ્થાન

પુણે

  • મધરાતથી સવારે 8 સુધી
  • 16 આગમન
  • 16 પ્રસ્થાન ફ્લાઇટ્સ રદ

તિરુવનંતપુરમ

  • 4 ડિસેમ્બર: 5-5 ફ્લાઇટ્સ મોડી
  • 5 ડિસેમ્બર: 3-3 મોડી
  • 2 આગમન + 2 પ્રસ્થાન ફ્લાઇટ્સ રદ

દિલ્હી એરપોર્ટની પેસેન્જર એડવાઇઝરી

દિલ્હી એરપોર્ટે મુસાફરોને ચેતવણી આપી : ઓપરેશનલ સમસ્યાઓને કારણે કેટલીક domestic ફ્લાઇટ્સ મોડી અથવા રદ થઈ રહી છે. મુસાફરો એરપોર્ટ જવા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચેક કરે.

વિક્ષેપનું મુખ્ય કારણ શું?

ઈન્ડિગો પર તાજેતરમાં લાગુ થયેલા FDTL (Flight Duty Time Limit) ધોરણોનો સૌથી મોટો પ્રભાવ છે.

નવા નિયમોમાં શું બદલાયું?

  • સાપ્તાહિક આરામ : 36 કલાક → 48 કલાક
  • રાત્રિ ફરજની વ્યાખ્યા : 5 કલાક → 6 કલાક
  • રાત્રિ ફરજ પછી આરામ : 10 કલાક → 12 કલાક
  • એક રોસ્ટર પિરિયડમાં રાત્રિ શિફ્ટોની સંખ્યા : 6 → 2

આ બદલાવ પાઈલટ્સ અને ક્રૂને આરામ મળે તે માટે જરૂરી હતા, પરંતુ એરલાઇન્સે પૂરતું આયોજન ન કરવાથી રોસ્ટરમાં વિક્ષેપ સર્જાયા.

આ પણ વાંચો : માનો કે, કોઇ ઘર છોડીને ભાગ્યું, કોઇના છૂટાછેડા થઇ ગયા, તો તેવાં લોકોનું 'SIR' કેવી રીતે થશે?

ઇન્ડિગો સૌથી વધુ કેમ પ્રભાવિત થયું?

ઇન્ડિગો રોજના 2200 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે-એર ઇન્ડિયા કરતાં લગભગ દેવાની બમણી. માત્ર 10–20% ફ્લાઇટ્સ પણ મોડી પડે અથવા રદ થાય તો 200–400 ફ્લાઇટ્સ પ્રભાવિત થાય છે. ઇન્ડિગો ઘણી રાત્રિ કામગીરી પર આધાર રાખે છે, જ્યારે નવા નિયમો આને નિયંત્રિત કરે છે. રોસ્ટરો સમયસર અપડેટ ન કરવા બદલ Airline Pilots Association of India એ એરલાઇનની ટીકા પણ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiGo flights cancelled IndiGo emergency passengers
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ