બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ડૉકટરની ગંભીર બેદરકારી સામે આવી, બાળકને આંખ પાસે વાગ્યું તો ફેવિક્વિક લગાવ્યું, પછી થઈ જોવા જેવી
Last Updated: 04:06 PM, 20 November 2025
મેરઠના જાગૃતિ વિહાર એક્સટેન્શનમાં આવેલી મેપલ્સ હાઇટ્સ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક અઢી વર્ષના બાળકે આંખ પાસે થયેલી ઈજાની સારવાર દરમ્યાન તબીબી બેદરકારીનો સામનો કરવો પડ્યો. પરિવારનો આરોપ છે કે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે બાળકના લોહી વહી રહેલા ઘાને સાફ કરીને ટાંકા લગાવવાના બદલે બજારમાંથી પાંચ રૂપિયાનું ફેવિકોલ મગાવ્યું અને સીધા તે ફેવિકોલ ઘા પર લગાવી દીધું. આ ઘટનાએ પરિવાર સાથે સમાજમાં પણ ચકચાર મચાવી દીધી છે.
ADVERTISEMENT

ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સરદાર જસ્પિંદર સિંહનો અઢી વર્ષનો પુત્ર મનરાજ એક સાંજે ઘરે રમતી વખતે ટેબલના ખૂણા પર અથડાઈ ગયો. અથડામણ એટલી તીવ્ર હતી કે તેની આંખની બાજુથી લોહી વહી ગયું. બાળક સતત રડી રહ્યો હોવાથી અને ઘા સંવેદનશીલ સ્થળે હોવાથી પરિવાર તરત જ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં પહોંચી પછી પરિવાર મુજબ ડોક્ટરે કોઈ યોગ્ય ચેકઅપ કર્યા વગર અને કોઈ પ્રાથમિક સારવાર આપ્યા વગર માતા-પિતાને બહારથી ફેવિકોલ લાવવા કહ્યું. પરિવારને લાગ્યું કે કદાચ આ કોઈ તબીબી એડહેસિવ હશે, તેથી તેઓએ એ જ વિશ્વાસમાં ફેવિકોલ લાવી આપ્યું.
ADVERTISEMENT

પરંતુ ડોક્ટરે કટને સાફ પણ કર્યા વગર અને ઘાની ગંભીરતા તપાસ્યા વગર સીધું ફેવિકોલ લગાવીને ઇજાને ચોંટાડી દીધી. જસ્પિંદર સિંહ જણાવે છે કે તેમને વારંવાર પૂછવા છતાં ડોક્ટરે કહ્યું કે બાળક ફક્ત ગભરાઈ ગયું છે અને થોડા સમયમાં બધું સારું થઈ જશે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે આખી રાત બાળક ભારે દુખાવાથી રડતું રહ્યું અને તેની સ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો.
ADVERTISEMENT

અગલી સવારે, પરિવાર બાળકને લોકપ્રિયા હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાંના ડોકટરોને ઘટનાની જાણ થતાં તેઓ ચોંકી ગયા. ડોકટરોના જણાવ્યા મુજબ, જો ફેવિકોલનો પદાર્થ થોડો પણ આંખમાં ગયો હોત તો બાળકની દ્રષ્ટિને ગંભીર નુકસાન થઈ શકે હતું. ફેવિકોલ દૂર કરવામાં ડોકટરોને લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો અને ત્વચા કે આંખને નુકસાન ન થાય તે બાબતે ખાસ કાળજી લેવામાં આવી. ફેવિકોલ દૂર થયા પછી જણાયું કે ઘા ઊંડો હતો અને તરત જ ચાર ટાંકા લગાવવામાં આવ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચો : પિતા સાંસદ અને માતા ધારાસભ્ય, હવે નીતિશ સરકારમાં કિસ્મત ખુલતા દીકરો બન્યો મંત્રી
ઘટના જાણ થતા મેરઠના સીએમઓ ડૉ. અશોક કટારિયાએ પરિવાર પાસેથી ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે અને સંપૂર્ણ તપાસ માટે સમિતિ રચવામાં આવી છે. તપાસમાં ડોક્ટરની લાયકાત, હોસ્પિટલની સુવિધાઓ અને સારવાર દરમ્યાન થયેલી પ્રક્રિયાનો પણ સમાવેશ કરવામાં આવશે. સીએમઓએ જણાવ્યું છે કે જો બેદરકારી સાબિત થશે તો ડોક્ટર અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.