બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોંગ્રેસ નેતા પવન ખેરાને હાઇકોર્ટમાંથી રાહત, આ કેસમાં એક અઠવાડિયા માટે આગોતરા જામીન મળ્યા
Last Updated: 12:34 PM, 10 April 2026
Pawan Khera News : કોંગ્રેસ નેતા પવન ખેરાને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે તેમને એક અઠવાડિયાના આગોતરા જામીન આપીને મોટી રાહત આપી છે. આ કેસ આસામના મુખ્યમંત્રીની પત્ની રિંકી શર્મા દ્વારા દાખલ કરાયેલા એફઆઈઆર સાથે સંબંધિત છે. કોર્ટના આ નિર્ણય બાદ પવન ખેરાને સંબંધિત કોર્ટમાં હાજર થવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ સુનાવણીને મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ અંતિમ સુનાવણીમાં હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી સ્વીકારી લીધી.
ADVERTISEMENT
#WATCH | Hyderabad, Telangana: TPCC Legal Cell, Advocate Ponnam Ashok Goud says, "...Court has granted 1-week time to Police not to take any coercive step. At the same time, they directed Pawan Khera to file a regular bail petition before the concerned court. It is definitely a… https://t.co/3nAFC48VSe pic.twitter.com/1MOdKnLW88
— ANI (@ANI) April 10, 2026
આ મામલાની સુનાવણી દરમિયાન કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ દલીલ કરી હતી કે આ કેસ રાજકીય બદલા રૂપે દાખલ કરવામાં આવ્યો છે. તેમની દલીલ મુજબ, સરકાર દ્વારા આ કાર્યવાહી દબાણ અને રાજકીય હેતુથી પ્રેરિત છે.
ADVERTISEMENT
The Telangana High Court on Friday granted anticipatory bail for one week to Congress leader Pawan Khera in connection with an FIR filed by Assam CM Himanta Biswa Sarma's wife Riniki Bhuyan Sharma..
— Live Law (@LiveLawIndia) April 10, 2026
Read more: https://t.co/5abLOzKy6O#TelanganaHighCourt #PawanKhera… pic.twitter.com/3jOEEsOLwR
બીજી તરફ, આસામ સરકાર તરફથી એડવોકેટ જનરલ દેવજીતે આ દલીલનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેસ કાયદેસર છે અને તેમાં કોઈ રાજકીય બદલો નથી, તેમજ આ મામલો તેલંગાણા હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં યોગ્ય રીતે આવતો નથી.
ADVERTISEMENT

આ પણ વાંચો : ગગનયાન મિશન તરફ ભારતનું વધુ એક મજબૂત પગલું, IADT-02 પરીક્ષણ સફળ
ADVERTISEMENT
પવન ખેરાએ 7 એપ્રિલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે પોતાનું નિવાસ સ્થાન હૈદરાબાદ દર્શાવ્યું હતું અને ધરપકડની સંભાવના સામે આગોતરા જામીનની માંગ કરી હતી. કોર્ટમાં તેમની તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેઓ કોઈ ગુનેગાર નથી અને સમાજમાં એક પ્રતિષ્ઠિત રાજકીય વ્યક્તિ છે, તેથી તેમની ધરપકડની જરૂર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT