બ્રેકિંગ ન્યુઝ
National News: શ્રાવણ મહિનાનો આજે સોમવારે શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિક-અપ પલટી જઈને પાણીમાં ગરકાવ થઈ હતી. જેમાં 5 શિવભક્તોના કમકમાટી ભર્યા મોત થયા હતા. મૃતકોને
ADVERTISEMENT
મૃતકોમાં એક કિશોર પણ સામેલ
બિહારના ભાગલપુરમાં એક ભીષણ દુર્ઘટના બની છે. અહીં ઊંડા પાણીમાં વાહન પલટી જવાથી 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટા ભાગના 25 વર્ષ સુધીના યુવાનો હોવાનું કહેવાય રહ્યું છે. મૃતકોમાં 14 વર્ષનો એક કિશોર પણ સામેલ છે. આ દુર્ઘટના રાત્રે 12 વાગ્યે થયો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

રસ્તામાં જ કાળનો ભેટો થઈ ગયો
ADVERTISEMENT
શાહકુંડથી મહતો થાન થઈને સુલતાનગંજ જવાનો રસ્તો સાંકડો છે અને ઘણી જગ્યાએ સતત વરસાદને કારણે રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ ગયા છે. પ્રત્યક્ષદર્શી અનુસાર, પિકઅપ વાન પર એક નાનો ડીજે સેટ હતો અને તમામ યુવકો ભગવાન શિવને જળ ચઢાવવા જઈ રહ્યા હતા ત્યા રસ્તામાં જ કાળનો ભેટો થઈ ગયો હતો. હાઈવે પર મોતની ચિચિયારી ગૂંજી ઉઠી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.
વધુ વાંચો : યુવાનો માટે સરકારી નોકરીની તક, 3 હજારથી વધુ જગ્યાઓની ભરતી પડી, જાણો ડિટેલ્સ
ADVERTISEMENT
ગઈકાલે UPમાં 11 શ્રદ્ધાળુઓના મોત
ગઈકાલે રવિવાર (03 ઓગસ્ટ) સવારના સુમારે ઉત્તર પ્રદેશના ગોંડામાં મોટી દુર્ઘટના બની હતી જેમાં ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતા 11 શ્રદ્ધાળુઓના કમકમટીભર્યા મોત થયા હતા. પૃથ્વીનાથ મંદિર જઈ રહેલા ભક્તોથી ભરેલી એક બોલેરો પલટી ગઈ હતી. આ ભક્તો શ્રાવણ માસ હોવાથી ભોળેનાથ મંદિરે જળાભિષેક કરવા જઈ રહ્યા હતા. ત્યારે દુર્ઘટના બની હતી. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સીએમ યોગીએ આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.