બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:27 PM, 10 March 2026
National News: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં છ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જળ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી. તેમજ મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી.
ADVERTISEMENT
ન્દ્રીય કેબિનેટની બેઠકમાં છ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીમંડળે જલ જીવન મિશન 2.0 ને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જલ જીવન મિશન 2028 સુધી લંબાવવામાં આવશે. આ મિશન માટે 8 લાખ70 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં કેબિનેટએ મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
તેમજ જેવર એરપોર્ટના જોડાણ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો. વૈષ્ણવે જણાવ્યું કે કેબિનેટએ જેવર એરપોર્ટના ખર્ચમાં સુધારો કર્યો અને જેવર એરપોર્ટને ફરીદાબાદ સાથે જોડતા એલિવેટેડ રોડને મંજૂરી આપી. સૈથિયા અને પાકુડ વચ્ચે ચોથી રેલ્વે લાઇન અને સંતરાગાછી અને ખડગપુર વચ્ચે ચોથી રેલ્વે લાઇનને મંજૂરી આપવામાં આવી. વધુમાં મધ્યપ્રદેશમાં એક હાઇવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
મંત્રીમંડળની બેઠકમાં 6 મુખ્ય નિર્ણયો
જલ જીવન મિશન 2.0 ને મંત્રીમંડળે મંજૂરી આપી
ADVERTISEMENT
મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું
જેવર અને ફરીદાબાદ વચ્ચે એલિવેટેડ રોડ માટે મંજૂરી
ADVERTISEMENT
સૈંથિયા અને પાકુર વચ્ચે ચોથી રેલ્વે લાઇન માટે મંજૂરી
સંતરાગાછી અને ખડગપુર વચ્ચે ચોથી રેલ્વે લાઇન માટે મંજૂરી
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાંધણા ગેસના બાટલાની અછતથી હોટલ-રેસ્ટોરન્ટમાં હડકંપ, જાણો કેટલું મોટું છે સંકેટ
ADVERTISEMENT
મદુરાઈ એરપોર્ટ સૌથી જૂના એરપોર્ટમાંનું એક
મદુરાઈ એરપોર્ટ રાજ્યના સૌથી જૂના એરપોર્ટમાંનું એક છે. તે દક્ષિણ તમિલનાડુના એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે અને પર્યટન અને યાત્રાધામને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રદેશના એકંદર વિકાસમાં ફાળો આપે છે. મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી પ્રાદેશિક જોડાણ વધશે, વેપાર વધશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.