બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:11 PM, 27 July 2020
ADVERTISEMENT
એક અખબારે લગભગ 5 મુસ્લિમ ભક્તો સાથે વાત કરી જેમાં રાજા રઈશ, વાસી હૈદર, હાજી સઈદ, જમશેદ ખાન અને આજમ ખાન સાથે વાત ચીત કરી છે. આ તમામ રામને ઈમામ- એ- હિંદ અને કેટલાય રાજપૂતોના પૂર્વજ માને છે જેમણે ઈસ્લામ અપનાવ્યો છે. ફૈઝાબાદના જમશેદ ખાને જણાવ્યું કે અમે ઈસ્લામ અપનાવ્યો અને અમે ઈસ્મામ અનુસાર પ્રાર્થના કરી એ છીએ પરંતુ ધર્મ બદલવાથી અમારા પૂર્વજ નથી બદલ્યા. રામ અમાર પૂર્વજ હતા અને અમે અમારા હિંદુ ભાઈઓ સાથે આની ઉજવણી કરીશું.
.jpg)
ADVERTISEMENT
ઈમામ - એ -હિંદ હતા રામ
સઈદ અહમદ મક્કાથી હજ કરીને પાછા ફર્યા છે. તે એક સમર્પિત મુસલમાન છે પરંતુ સાથે રામ ભક્ત પણ છે. તેઓ કહે છે. ભારતીય મુસ્લિમ માને છે કે રામ એ ઈમામ-એ- હિંદ હતા અને હું અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સમયે હાજર રહીશ. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અવધ પ્રાંતના ઈન્ચાર્જ ડો. અનિલ સિંહે જણાવ્યું કે ફૈઝ ખાન છત્તીસગઢના પોતાના ગામમાંથી મંદિરના નિર્માણ માટે ઈંટો લઈને આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશભરમાંથી ઘણા મુસ્લિમ કારસેવક અયોધ્યા આવીને સેલિબ્રેશનમાં ભાગ લેશે.
ADVERTISEMENT
.jpg)
ગર્ભગૃહમાં જવાનો મોકો મળશે તો આર્શીવાદ લેશે
ADVERTISEMENT
ફૈજાબાદના રાશિદ અંસારી જણાવે છે કે જો અમને ગર્ભગૃહમાં જવાનો મોકો મળશે કે જ્યાં શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે તો આ અમારા માટે આશીર્વાદ સમાન હશે. જો સુરક્ષાના કારણોસર અમારો પ્રવેશ રોકવામાં આવશે તો અમે બહારથી સેલિબ્રેશનમાં ભાગ લઈશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.