ડે-નાઈટ ટેસ્ટના બે દિવસ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચની અનેક ટીકા-ટીપ્પણીઓ થઈ પરંતુ છેલ્લી ટેસ્ટની પિચ બેટિંગ માટે અનુકૂળ હોવાની સંભાવના હોવાથી તે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ની ગંભીર સજામાંથી બચી જશે.
સ્પીન માટે અનુકૂળ પિચની સંભાવના પણ ઓછી છે કારણ કે ઘરેલુ ટીમ પિચ અંગે કોઈ જોખમ ઉઠાવવા માગતું નથી. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સારી પિચની આશા છે જે ઠોસ રહેશે અને સમાન ઉછાળ મળશે. આ બેટિંગ માટે અનુકૂળ હશે અને આ પરંપરાગત લાલ બોલની ટેસ્ટ મેચ હશે. તેથી અહીં ચારથી આઠ માર્ચ સુધી યોજાનારા મુકાબલામાં મોટો સ્કોરની આશા રાખી શકાય.
ધૂળથી ભરેલી પિચ નવા સ્થળ માટે અનુકૂળ નથી. બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું કે જો એક જ સ્થળે બે મેચ યોજાય તો તમે એક પરિણામને અલગ ન કરી શકો. અંતિમ ટેસ્ટ થઈ જવા દો અને ત્યાર બાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથના રિપોર્ટને આધારે આઈસીસી તેની કાર્યવાહી અંગે નિર્ણય કરશે. સાથે ઈંગ્લેન્ડની ટીમે પણ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી.
જો એક જ સ્થળે એક સારી અને એક ખરાબ પિચ હોય તો આઈસીસીની કાર્યવાહીની કોઈ સંભાવના રહેતીનથી. ભારત સિરિઝને 3-1 થી પોતાને નામે કરીને ખુશ થશે પરંતુ ટીમને પરિણામ અપાવનાર સ્પિનની અનુકૂળ પિચની જરુર નથી કારણ કે તેને માટે ડ્રો જ પર્યાપ્ત છે.