કોવિડ -19 ની ફરજિયાત ટેસ્ટિંગથી બચવા માટે 300 થી વધુ મુસાફરોએ આસામના સિલચર એરપોર્ટ પરથી હાથતાળી આપીને છટકી ગયાનું સામે આવ્યું છે.
કોરોના ટેસ્ટિંગ બચવા ભાગી ગયા મુસાફરો
અધિકારીઓએ કહ્યું અમારી પાસે તેમની વિગતો છે, કાર્યવાહી થશે
આસામના સિલચર એરપોર્ટ પર બની આ ઘટના
કોરોના ટેસ્ટિંગથી બચવા માટે બુધવારે 300 થી વધુ મુસાફરોએ આસામના સિલચર એરપોર્ટ પર હાલાકી ઉભી કરી દીધી હતી અને ત્યાંથી ભાગી છૂટયા હતા. એરપોર્ટ અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કછાર જિલ્લાના અધિક નાયબ કમિશનર સુમિત સત્વાને જણાવ્યું હતું કે દેશના જુદા જુદા ભાગોમાંથી કુલ 690 મુસાફરો છ વિમાન દ્વારા સિલચર એરપોર્ટ પર પહોંચ્યા હતા.
"All of them are traceable as we have their contact details. FIR will be lodged tomorrow and tracing of all the passengers are underway,” said officials. (21.04) pic.twitter.com/5QVc935FEw
તેમણે કહ્યું કે આ મુસાફરોના સેમ્પલ્સ એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ માટે અને નજીકની ટિકોલ મોડેલ હોસ્પિટલમાં લઈ જવાના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ ફી માટે 500 રૂપિયા ચૂકવવાને લઈને આ બંને જગ્યાએ આશરે 300 મુસાફરોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.
આસામ સરકારે રાજ્યમાં હવાઈ માર્ગે આવનારા તમામ મુસાફરો માટે કોવિડ -19 પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે, જે અંતર્ગત રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગ નિ: શુલ્ક કરવામાં આવે છે અને ત્યારબાદ આરટી-પીસીઆર ટેસ્ટ, જેના માટે 500 રૂપિયા ચૂકવવા પડે છે. રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગમાં રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાતા મુસાફરોને પણ આરટી-પીસીઆર ટેસ્ટિંગથી પસાર થવાનું જરૂરી છે.
અમારી પાસે આ લોકોની વિગતો, અમે કાર્યવાહી કરીશું
જો કે બુધવારે 300 જેટલા મુસાફરોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે જોતાં, અધિકારીએ કહ્યું, "અમારી પાસે આ લોકોની વિગતો છે અને અમે તેમને શોધી કાઢીશું." અમે ભારતીય દંડ સંહિતાની કલમ 188 (જાહેર સેવક દ્વારા લાગુ કરાયેલા આદેશની અવજ્ઞા કરવી) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરીશું. "
વધુમાં આ અધિકારીઓએ જણાવ્યું હતું કે 690 મુસાફરોમાંથી, 189 ની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી છને કોરોના વાયરસ પોઝિટિવ હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઘણા મુસાફરોને જો કે આ ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી હતી, કારણ કે તેમનું આસામની બદલે મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા પડોશી રાજ્યોમાં જઈ રહ્યા હતા.આસામ સરકારે બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે બહારથી આવતા તમામ મુસાફરોએ સાત દિવસના આઇસોલેશનમાં રહેવું આવશ્યક છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,29,138 ચેપનાં કેસ નોંધાયા છે અને 1,150 લોકોનાં મોત નીપજ્યાં છે.