બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / more-than-300-passengers-fled-the-airport-to-escape-the-corona-test-at-silchar-airport

કોવિડ 19 / કોરોના ટેસ્ટિંગથી બચવા માટે આ એરપોર્ટ પરથી ભાગી ગયા 300 યાત્રી, તંત્ર કરશે કાર્યવાહી

Nirav

Last Updated: 05:53 PM, 22 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ -19 ની ફરજિયાત ટેસ્ટિંગથી બચવા માટે 300 થી વધુ મુસાફરોએ આસામના સિલચર એરપોર્ટ પરથી હાથતાળી આપીને છટકી ગયાનું સામે આવ્યું છે.

  • કોરોના ટેસ્ટિંગ બચવા ભાગી ગયા મુસાફરો 
  • અધિકારીઓએ કહ્યું અમારી પાસે તેમની વિગતો છે, કાર્યવાહી થશે 
  • આસામના સિલચર એરપોર્ટ પર બની આ ઘટના

કોરોના ટેસ્ટિંગથી બચવા માટે બુધવારે 300 થી વધુ મુસાફરોએ આસામના સિલચર એરપોર્ટ પર હાલાકી ઉભી કરી દીધી હતી અને ત્યાંથી ભાગી છૂટયા હતા. એરપોર્ટ અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કછાર જિલ્લાના અધિક નાયબ કમિશનર સુમિત સત્વાને જણાવ્યું હતું કે દેશના જુદા જુદા ભાગોમાંથી કુલ 690 મુસાફરો છ વિમાન દ્વારા સિલચર એરપોર્ટ પર પહોંચ્યા હતા.

મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો 

તેમણે કહ્યું કે આ મુસાફરોના સેમ્પલ્સ એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ માટે અને નજીકની ટિકોલ મોડેલ હોસ્પિટલમાં લઈ જવાના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ ફી માટે 500 રૂપિયા ચૂકવવાને લઈને આ બંને જગ્યાએ આશરે 300 મુસાફરોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.

આસામ સરકારે રાજ્યમાં હવાઈ માર્ગે આવનારા તમામ મુસાફરો માટે કોવિડ -19 પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે, જે અંતર્ગત રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગ નિ: શુલ્ક કરવામાં આવે છે અને ત્યારબાદ આરટી-પીસીઆર ટેસ્ટ, જેના માટે 500 રૂપિયા ચૂકવવા પડે છે. રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગમાં રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાતા મુસાફરોને પણ આરટી-પીસીઆર ટેસ્ટિંગથી પસાર થવાનું જરૂરી છે.

અમારી પાસે આ લોકોની વિગતો, અમે કાર્યવાહી કરીશું 

જો કે બુધવારે 300 જેટલા મુસાફરોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે જોતાં, અધિકારીએ કહ્યું, "અમારી પાસે આ લોકોની વિગતો છે અને અમે તેમને શોધી કાઢીશું." અમે ભારતીય દંડ સંહિતાની કલમ 188 (જાહેર સેવક દ્વારા લાગુ કરાયેલા આદેશની અવજ્ઞા કરવી) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરીશું. "

વધુમાં આ અધિકારીઓએ જણાવ્યું હતું કે 690 મુસાફરોમાંથી, 189 ની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી છને કોરોના વાયરસ પોઝિટિવ હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઘણા મુસાફરોને જો કે આ ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી હતી, કારણ કે તેમનું આસામની બદલે મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા પડોશી રાજ્યોમાં જઈ રહ્યા હતા.આસામ સરકારે બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે બહારથી આવતા તમામ મુસાફરોએ સાત દિવસના આઇસોલેશનમાં રહેવું આવશ્યક છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,29,138 ચેપનાં કેસ નોંધાયા છે અને 1,150 લોકોનાં મોત નીપજ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ