બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / mohini ekadashi tithi ravi yog puja muhurat subh muhurat

Mohini Ekadashi / આજે મોહિની એકાદશી પર રવિ યોગનો સંયોગ: સફળતા મેળવવી છે તો આ મૂહુર્તમાં કરો અનેક શુભ કાર્યો, થશે ફાયદો

Arohi

Last Updated: 08:45 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohini Ekadashi: આજે સોમવારે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે. તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે.

  • આજે છે મોહિની એકાદશી 
  • મોહિની એકાદશી પર રવિ યોગનો સંયોગ
  • આ મૂહુર્તમાં કરો અનેક શુભ કાર્યો

આજે સોમવારે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે. તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લઈને રાક્ષસોને અમૃત પીવાથી રોક્યા હતા. 

આખા દિવસે પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર રહેશે. સૂર્યોદય સવારે 5.49 વાગ્યે અને સૂર્યાસ્ત સમયે 6.59 વાગ્યે થશે. ચન્દ્રોદય 3.02 વાગ્યે તથા ચન્દ્રાસ્ત બીજા દિવસે 3.48 વાગ્યે થશે. 

આજનું પંચાંગ આ પ્રકારે છે 

  • શક સંવત-1945 
  • વિક્રમ સંવત-2080 
  • કલિ સંવત-5124 
  • મહિનો- વૈશાખ મહિનો, શુક્લ પક્ષ 

શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ 
દુષ્ટ મુહૂર્ત બપોરે 12.44 વાગ્યાથી 1.37 વાગ્યા સુધી અને બપોરે 3.24 વાગ્યાથી 4.17 વાગ્યા સુધી રહેશે. કુલિક યોગ બપોરે 3.24 વાગ્યાથી 4.17 વાગ્યા સુધી અને કંટક યોગ સવારે 8.19 વાગ્યાથી 9.12 વાગ્યા સુધી રહેશે. 

કાલવેલા/ અર્દ્ધયામનો સમય સવારે 10.05 વાગ્યાથી 10.58 વાગ્યા સુધી રહેશે. યમધણ્ટ યોગ બપોરે 11.51 વાગ્યાથી 12.44 વાગ્યા સુધી અને યમગંડ યોગ સવારે 10.39 વાગ્યાથી બપોરે 12.18 વાગ્યા સુધી રહેશે. રાહુકાળ સવારે 7.20 વાગ્યાથી 8.59 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચો. 

આજના ચોઘડિયા 
આજે સવારે 5.49 વાગ્યાથી 7.28 વાગ્યા સધી અમૃત ચોઘડિયું રહેશે. સવારે 9.07 વાગ્યાથી 10.45 વાગ્યા સુધી શુભ ચોઘડિયું રહેશે. રવિ યોગ સવારે 5.49 વાગ્યાથી સાયં 5.51 વાગ્યા સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2.36 વાગ્યાથી 3.24 વાગ્યા સુધી અને અભિજીત મુહૂર્ત બપોરે 11.58 વાગ્યાથી 12.51 વાગ્યા સુધી રહેશે. 

અમૃત કાળ સવારે 10.50 વાગ્યાથી બપોરે 12.35 વાગ્યા સુધી રહેશે. આ શુભ ચોઘડિયા અને મુહૂર્તમાં રાહુકાળ સિવાય અન્ય બધા પ્રકારના શુભ કાર્ય કરી શકાય છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ