મેથીના દાણા એક પ્રકારની જડીબુટ્ટી છે જેનું સેવન દરેક પ્રકારની બિમારીઓને ઇલાજ માટે કરવામાં આવે છે. મેથીના દાણીમાં એવા ઘણા ઔષધીય ગુણો રહેલા હોય છે, જેના કારણે આર્યુવેદમાં તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.
મૂળ રૂપે તો દેખાવમાં મેથી દાણા એક પ્રકારનો મસાલો છે જેને લગભગ દરેક રસોઇ ઘરમાં કરવામાં આવે છે. આજે અમે તમને મેથીના દાણાના ફાયદા જણાવી રહ્યા છીએ, જે તમને ચોંકાવી દેશે..
- જણાવી દઈએ કે મેથીના દાણા ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. તેથી તેના નિયમિત સેવનથી એસીડિટીની તકલીફ પણ દૂર થાય છે.
- સવારે નિયમિત ભૂખ્યા પેટે મેથીના દાણા ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. જેનાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.
- મેથીના દાણામાં ફાઈબર વધુ પ્રમાણમાં મળી આવે છે. અને તેનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
- મેથી દાણામાં એન્ટીબેકટેરિયલ પ્રોટીન રહેલા હોવાથી વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.
- મેથી દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોવાથી તે આપણા શરીરનો કચરો બહાર કાઢે છે, જેના કારણે પાચનક્રિયા સુધરે છે.
- મેથી દાણામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં મળી રહેતા હોવાથી તે ચામડીને તંદુરસ્ત રાખવામાં ઘણાં ઉપયોગી સાબિત થાય છે.
- મેથી દાણામાં ઍમિનો ઍસિડ હોય છે. આ ઍમિનો ઍસિડ શરીરમાં ઈન્સુલિનનાં લેવલને જાળવી રાખે છે. તેનાથી ડાયાબીટિસ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે.