બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department statement on possible storm
Malay
Last Updated: 02:39 PM, 21 October 2023
Cyclone Tej Update: અગાઉ જૂન મહિનામાં ગુજરાતની પ્રજાએ વાવાઝોડા બિપરજોયથી થયેલા વિનાશનો કડવો અનુભવ કર્યો હતો. બિપરજોય વાવાઝોડું અગાઉ ગુજરાતના દરિયાકાંઠે અથડાવવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેની પૂર્વ નિર્ધારિત દિશાથી ભટકીને તે રાજ્યના માંડવીના દરિયા કિનારે અથડાયું હતું. હવે માત્ર ચાર મહિનાના સમયગાળામાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા 'તેજ'નો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના પગલે રાજ્યના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયાં છે.
ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા
રાજ્યમમાં વાવાઝોડા તેજના ઊભા થયેલા સંકટથી દરેક ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. અરબી સમુદ્ધમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે, તે 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને તે આગામી સમયગાળામાં વધુ પ્રબળ બનશે તેમજ આવતીકાલે આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બનવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠે વરસાદ કે ભારે પવનની કોઈ આગાહી નથી. જોકે, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
12 કલાક બાદ નક્કી થશે વાવાઝોડાની દિશાઃ મનોરમા મોહંતી
આ સંભવિત વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી 12 કલાક બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે, રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન સાયક્લોનમાં પરિવર્તિત થયું છે. સાયક્લોનને 'તેજ' નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું અરેબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં વાવાઝોડુ છે.
25 ઓક્ટોબરે યમન-ઓમાન કરશે ક્રોસ
તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ વાવાઝોડાની કોઈ અસર નથી. વાવાઝોડુ 25 ઓક્ટોબરે યમન-ઓમાન કોસ્ટ ક્રોસ કરશે. દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં પવન હોવાથી માછીમારોને ત્યાં નહીં જવા સૂચન કરાયું છે.
અંબાલાલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે.
26થી 28 ઓક્ટોબરે હવામાન પલટાતા ઠંડી વધશે
તેઓએ જણાવ્યું કે, પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો