બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : પથ્થર મારીને ટ્રેનના કાચના બોલાવી દીધાં ભુક્કાં, બેસવાં ન મળતાં પ્રવાસીઓ ગાંડા થયા
Last Updated: 10:04 PM, 22 December 2024
રેલવે જાણે પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટી હોય તેમ લોકો વર્તે છે. ઉત્તર પ્રદેશથી મુંબઈ જઈ રહેલી ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ચઢવાની જગ્યા ન મળતાં પ્રવાસીઓ મોંઘા કાચ તોડી નાખ્યાં હતા. લોકોની ભારે ભીડ રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભીડ ટ્રેનમાં ચઢવા માટે પાગલ થઈ ગઈ હતી અને ટ્રેનને નુકસાન પહોંચાડવા લાગી હતી.
ADVERTISEMENT
#झाँसी : मनकापुर रेलवे स्टेशन पर 15101 अंत्योदय एक्सप्रेस के गेट न खोलने से गुस्साए यात्रियों ने कोच में पथराव कर दिया, जिससे शीशे टूट गए और ट्रेन में भगदड़ मच गई। आवेश में यात्रियों ने सरिए उखाड़ डाले और गेट को क्षतिग्रस्त करने का प्रयास किया। ट्रेन में बैठे यात्रियों ने नीचे… pic.twitter.com/MiBygXHhVA
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) December 19, 2024
મોટા પથ્થરનો ઘા મારીને બારીના કાચના ભુક્કા બોલાવી દીધાં
ADVERTISEMENT
આ ઘટના માણેકપુર રેલવે સ્ટેશન પર બની હોવાનું કહેવાય છે. 15101 અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન માણેકપુર સ્ટેશનથી ઉપડવાની તૈયારી હતી પરંતુ ભીડ એટલી બધી કે ઘણા બધા પ્રવાસીઓ દરવાજેથી ચઢી શક્યા નહોતા આથી કેટલાક માથાફરેલા પ્રવાસીઓએ મોટા પથ્થરનો ઘા મારીને બારીના કાચના ભુક્કા બોલાવી દીધાં હતા.
કાચ તૂટતાં પ્રવાસીઓમાં ગભરાટ, નીચે પડીને જીવ બચાવ્યો
ADVERTISEMENT
પથ્થરમારાના કારણે કાચ તૂટી ગયા હતા અને ટ્રેનમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક મુસાફરોએ સળિયા ઉખેડીને દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ કામથી ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કાચથી બચવા મુસાફરો નીચે કૂદી પડ્યાં હતા. આ ઘટનાની માહિતી મળ્યાં બાદ રેલવે પોલીસે પ્રવાસીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
રેલવે આપણી સંપત્તિ
ADVERTISEMENT
મુસાફરોએ આવી હરકતો છોડવી પડશે કારણ કે રેલવે આપણી પોતાની સંપત્તિ છે અને આપણી આ સંપત્તિને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Lucknow Coaching Centre Fire / 2016માં મળી હતી ડિમોલિશનની નોટિસ, 2 મહિનામાં જ આદેશ કર્યો રદ, તંત્ર પણ જવાબદાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.