બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Man kills 3-year-old son in fit of rage following argument with wife in UP's Hussainganj: Police

યુપી / શખ્સે કોદાળી મારીને 3 વર્ષના છોકરાને મારી નાખ્યો, રાતે ખેતરમાં દફનાવી લાશ, કારણ ચોંકાવનારુ

Hiralal

Last Updated: 02:35 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હસનગંજમાં એક શખ્સે પત્ની સાથે ગઝડો થતા ઉશ્કેરાતાં તેના 3 વર્ષના છોકરાને પાવડો મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી હતી.

  • યુપીના હસનગંજમાં બની ભારે ચોંકાવનારી ઘટના
  • પતિ બન્યો 3 વર્ષના છોકરાનો હત્યારો
  • પત્ની સાથે ઝગડો થતા ઉશ્કેરાયો
  • પાવડો મારીને 3 વર્ષના છોકરાની હત્યા કરી 

યુપીના હસનગંજમાં એક કાળજું કંપાવતી ઘટના બની છે. સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે તેના 3 વર્ષના ફૂલ જેવા છોકરાની હત્યા કરી નાખી હતી. હુસૈનગંજ પોલીસ સ્ટેશન હેઠળના ચિતિસાપુર ગામના ચંદ્ર કિશોર લોધીએ કોદાળી વડે તેના પુત્રની હત્યા કરી હતી. સર્કલ ઓફિસર (સીઓ) વીરસિંહે જણાવ્યું કે ચંદ્ર કિશોરની બુધવારે રાત્રે તેની પત્ની સાથે ઝગડો થયો હતો આથી તે ઉશ્કેરાયો હતો અને બાજુમાં પડેલી કોદાળી ઉઠાવીને 3 વર્ષના છોકરાને મારી હતી જેમાં તેનું મોત થયું હતું. 

લાશ રાતે ખેતરમાં લઈ જઈને દફનાવી દીધી 
પોલીસ અધિકારીરએ કહ્યું કે 3 વર્ષના પુત્રની હત્યા બાદ આરોપી પિતા તેની લાશમાં રાતે ખેતરમાં લઈ ગયો હતો અને 
ત્યાં જ દફનાવી દીધી હતી. આરોપીની પત્નીએ ગુરુવારે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. તેની ફરિયાદના આધારે, પોલીસે લાશને બહાર કાઢી હતી અને કિશોરની ધરપકડ કરી હતી.

પત્ની સાથે ઝગડો થતા ભર્યું પગલું
આરોપી કિશોર અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી જે પછી તેણે મગજ પરનો કાબુ ગુમાવ્યો હતો અને આવી જધન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી છે. લોકો મૃતક છોકરા સાથે સહાનુભૂતિ દર્શાવી રહ્યાં છે. 

લખનઉમાં 35 વર્ષીય યુવાને ચાર બાળકોને કેનાલમાં ફેંક્યાં
હજુ એક દિવસ પહેલા લખનઉમાં પણ ભયાનક ઘટના બની હતી. લખનઉમાં એક 35 વર્ષીય શખ્સે પત્ની સાથે ઝગડો થતા તેના ચાર બાળકોને કેનાલમાં ફેંકી દીધા હતા. પરંતુ આ ઘટનામાં તો તેની 12 વર્ષની પુત્રીએ ભારે સાહસનું કામ કરી દેખાડ્યું હતું. પુત્રીએ જાતે તરીને તેના બે ભાઈઓને બચાવી લીધા હતા જોકે બીજા બે લાપત્તા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ