બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lumpy virus outbreak in one more district of Gujarat

લમ્પી વાયરસ / ગુજરાતના વધુ એક જિલ્લામાં લમ્પી વાયરસનો ભરડો! એક સામટા 30 પશુઓમાં લક્ષણો જોવા મળતા હડકંપ

Priyakant

Last Updated: 09:17 AM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાથમિક વિગતો મુજબ 30 થી વધુ પશુઓમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો દેખાયા, તમામ પશુઓના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા

  • આણંદ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર
  • બોરસદ,ખંભાત,પેટલાદના 30 પશુઓમાં લમ્પીના લક્ષણો 
  • તમામ પશુઓના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા 

રાજ્યમાં વધતા જતાં લમ્પી વાયરસનો કહેર હવે આણંદ જિલ્લામાં સામે આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ 30 થી વધુ પશુઓમાં લમ્પી શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેમાં બોરસદ, ખંભાત, પેટલાદના 30 પશુઓમાં લમ્પી લક્ષણો દેખાયા છે. જોકે મહત્વની વાત તો એ છે કે, જિલ્લામાં હજી 6 માસ પૂર્વે જ પશુઓનું રસીકરણ કરાયું હતું. આ તરફ હવે બોરસદમાં 10, પેટલાદમાં 11 અને ખંભાતમાં 9 પશુઓ શંકાસ્પદ લક્ષણો જણાતાં તમામ પશુઓના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. 

ગુજરાતમાં ધીરે ધીરે લમ્પી વાયરસ પગપેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી અને જિલ્લાઓમાં આ વાયરસ ફેલાય બાદ હવે આણંદ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. આણંદ પંથકમાં બોરસદ, ખંભાત, પેટલાદના 30 પશુઓમા લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણ દેખાયા છે. જેમાં બોરસદના 10, પેટલાદમાં 11, ખંભાતના 9 પશુઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં તમામ પશુઓના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા છે. 

ગુજરાતમાં ધીરે ધીરે લમ્પી વાયરસ પગપેસારો કરી રહ્યો છે.  લમ્પી વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ગઇકાલના આંકડા મુજબ રાજ્યમાં  54 હજાર 161 પશુઓ અસરગ્રસ્ત થયા છે. લમ્પી વાયરસને કારણે 1 હજાર 431 પશુઓના મૃત્યુ થયા છે..લમ્પી વાયરસને રોકવા માટે રાજ્યમાં કુલ 8 લાખ 17 હજાર પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.  લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે..કચ્છ જિલ્લામાં 37 હજાર 414 પશુઓ અસરગ્રસ્ત થયા છે.  તો બીજી તરફ તંત્ર દ્વારા પશુઓેમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

જાણો લમ્પી વાયરસ શું છે?

  • લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે.
  • લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે.
  • મચ્છર,માખી ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવો થાય છે.
  • દુષિત ખોરાક કે પાણીથી પણ ફેલાય છે લમ્પી વાયરસ.
  • વાયરસ દાખલ થયાના એક અઠવાડિયાની અંદર રોગના ચિન્હો જોવા મળે છે.
  • પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
  • ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે.
  • પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે.
  • રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે.
  • પશુઓનો મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે.
  • આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

લમ્પી વાયરસથી પશુઓને બચાવવા શું કરવું જોઇએ?

  • બીમાર પશુઓને સ્વસ્થ પશુઓથી તાત્કાલિક અલગ કરવા જોઇએ.
  • પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ.
  • પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ.
  • લમ્પી રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.
  • પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો જોઇએ.
  • રોગગ્રસ્ત વિસ્તારથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું.
  • પશુઓના ખોરાક,પાણી અને માવજત અલગથી કરવી.
  • પશુઓ રોગપ્રતિકારક શક્તિને લીધે 2થી 3 અઠવાડિયા સુધીમાં સ્વસ્થ થાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ