બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / કમાલ થઈ! પાનને ગલ્લે મળતી આ ચીજ ખાવાથી કદી નહીં થાય કેન્સર, સ્ટડીમાં દાવો
Last Updated: 12:28 PM, 7 September 2025
ભારતીય સંસ્કૃતિમાં પાનને ઔષધીય ગુણધર્મો અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. કોઈ પણ પૂજા-પાઠ હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક વિધિ હોય દરેક શુભ અવસરે પાનનું મહત્વ વધારે હોય છે. વિજ્ઞાન અને આયુર્વેદ બંનેમાં પાનના ઔષધીય ગુણોને માન્યતા આપી છે.
ADVERTISEMENT
સોપારીના પાન
આપણે વાત કરી રહ્યા છીએ પાન બનાવવા વપરાતા એવા સોપારીના પાન વિશે. તેના પાનમાં રહેલા ગુણોથી શરીરને અનેક રીતે લાભ થાય છે. અમેરિકન નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન મુજબ સોપારીના પાનમાં કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઑક્સિડન્ટ ગુણ હોય છે.
ADVERTISEMENT

અનેક સંશોધનોમાં એ સાબિત થયું છે કે સોપારીના પાન કેન્સરની કોશિકાઓની વૃદ્ધિને અટકાવે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ચેપ સામે લડવામાં મદદરૂપ બને છે. તે જ રીતે આયુર્વેદમાં તેનો ઉપયોગ શરદી- ખાંસી , ઉધરસ, ગળામાં દુખાવો અને મોઢાની દુર્ગંધ જેવી સામાન્ય સમસ્યાઓ માટે સદીઓથી થતો આવ્યો છે.
ADVERTISEMENT
સોપારીના પાનના ફાયદા
ADVERTISEMENT
સોપારીના પાન પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરે છે. તે પેટની એસિડિટીને નિયંત્રિત કરે છે અને ગેસ કે અપચો જેવી સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.
ADVERTISEMENT
સોપારીનું પાન ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને શ્વાસમાં તાજગી રહે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ મોઢાના જીવાણુઓને ઓછા કરે છે. એટલે જ પાનને ભોજન પછીનું કુદરતી માઉથ-ફ્રેશનર પણ કહે છે.

ADVERTISEMENT
સોપારીના પાનમાં રહેલા વિટામિન C અને અન્ય એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી કરે છે.
ઘરે લગાવો સોપારીના પાનની વેલ
ઘરે સોપારીના પાનની વેલ લગાવવી ખૂબ જ સરળ છે, કારણ કે આ વેલને વધુ તડકાની જરૂર નથી. તેને બાલ્કની કે ઘરની છાંયાવાળી દીવાલ પાસે સરળતાથી ઉગાડી શકાય છે. આ વેલ ધીમે ધીમે વધીને ઘરની રેલિંગ કે દીવાલ પર ફેલાય છે અને ઘરને કુદરતી સુંદરતા પણ આપે છે.
તે બીજથી નહીં પણ વેલની ડાળીથી ઉગાડવામાં આવે છે. 5–6 ઈંચ લાંબી ડાળી હળવી ભીની માટીમાં લગાવો. તેમાં ગાયનું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર ઉમેરો, પછી પાણી આપો.
વધુ વાંચો : મીઠું-ખાંડ અને ચા પત્તી, ચોમાસામાં ભેજ લાગી જાય, તો અજમાવો આ ઘેરલુ નુસખા
ઉનાળામાં તેને ડાયરેક્ટ તડકાથી બચાવો અને પાન પર હળવો પાણીનો સ્પ્રે કરતા રહો જેથી ભેજ ટકી રહે. શિયાળામાં પાણી ઓછું આપવું, પરંતુ માટી સંપૂર્ણ સૂકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. જો પાન પર જીવાત લાગે તો લીંબડાના પાણી કે ઘરેલું કીટનાશક છાંટવાથી તેને દૂર કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.