બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્યની ચાલ જોઇને મકાનનો નાખો પાયો, આ દિશામાં રાખવાથી થશે નુકશાન

ધર્મ / સૂર્યની ચાલ જોઇને મકાનનો નાખો પાયો, આ દિશામાં રાખવાથી થશે નુકશાન

Last Updated: 07:28 PM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દૂ ધર્મ જ્યારે આપણે ઘર બનાવતા હોઈએ ત્યારે તેનો પાયો નાખવાની દિશા પણ મહત્વની હોય છે. આજે તમને તેની યોગ્ય દિશા વિષે જણાવીશું.

નવું ઘર બનાવતી વખતે લોકો માટે પાયો કઈ દિશામાં નાખવો તે નક્કી કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે. અમુક લોકો હંમેશા ઉત્તર-પૂર્વ ખૂણામાં પાયો નાખવાની ભલામણ કરે છે, જ્યારે અમુક દક્ષિણ-પૂર્વ ખૂણામાં. પણ એવામાં તમારે જાણવું જોઈએ કે પાયો નાખવાની દિશા હંમેશા સરખી હોતી નથી. પાયો નાખવાની દિશા સૂર્યના ગોચર કે તેની ગતિ પર આધાર રાખે છે.

વાસ્તુ અનુસાર, સર્પનો સબંધ પૃથ્વીની ઊર્જા અને કુંડલિની શક્તિ (આધ્યાત્મિક ઊર્જા) સાથે સંકળાયેલો છે. સર્પને કુંડલિની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, જે માનવ શરીરની સુષુપ્ત આધ્યાત્મિક ઊર્જા છે. સર્પોને ભૂમિ ભાગમાં પણ રહેવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધરતીને ધારણ કરનાર રાખતા સર્પના ચહેરા અને પૂંછડીની દિશા સૂર્યના ગોચર અનુસાર બદલાય છે. આથી સર્પનું મુખ કે પૂંછડી જે દિશામાં હોય તે દિશામાં ઘરનો પાયો નાખવો ઘાતક બની શકે છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા છે.

VTV DIGITAL
  • સૂર્યનો ઘરના પાયા સાથે સંબંધ
  1. જ્યારે સૂર્ય સિંહ, કન્યા અને તુલા રાશિમાંથી ગોચર કરે છે ત્યારે નાગનું મુખ ઉત્તરપૂર્વમાં અને તેની પૂંછડી દક્ષિણપશ્ચિમમાં હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન દક્ષિણપૂર્વથી પાયો નાખવો શુભ માનવામાં આવે છે.
  2. વૃશ્ચિક, ધન અને મકર રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન, નાગનું મુખ ઉત્તરપશ્ચિમમાં અને તેની પૂંછડી દક્ષિણપૂર્વમાં હોય છે. ઉત્તરપૂર્વથી પાયો નાખવો શુભ માનવામાં આવે છે.
  3. કુંભ, મીન અને મેષ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન નાગનું મુખ દક્ષિણપશ્ચિમમાં અને તેની પૂંછડી ઉત્તરપશ્ચિમમાં હોય છે. ઉત્તરપશ્ચિમથી પાયો નાખવો શુભ માનવામાં આવે છે.
  4. વૃષભ, મિથુન અને કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન નાગનું મુખ દક્ષિણપૂર્વમાં અને તેની પૂંછડી ઉત્તરપશ્ચિમમાં હોય છે. દક્ષિણપશ્ચિમથી પાયો નાખવો શુભ માનવામાં આવે છે.

વધુ વાંચો : વૈશાખમાં આવી રહ્યા છે ખાસ ઉપવાસ અને તહેવારો, જાણો આખું લિસ્ટ

  • નાગના માથા કે પૂંછડી પર પાયો નાખવાના નુકશાન
    વાસ્તુ શાસ્ત્ર મુજબ નાગના મોં પાસે પાયો નાખવાથી મૃત્યુ થાય છે. આથી ક્યારેય પણ નાગના મોં પાસે પાયો ન નાખવો જોઈએ. પૂંછડી પાસે પાયો નાખવાથી નાની સમસ્યાઓ થાય છે. પણ સર્પના મધ્યમાં કે ઘરના કેન્દ્રમાં પાયો નાખવાથી કામ અધવચ્ચે અટકી શકે છે. મંગળવારે ક્યારેય પાયો કે ઘરનું બાંધકામ શરૂ ન કરો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Hinduism Kundalini Shakti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ