બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Juhi
Last Updated: 01:29 PM, 26 September 2019
29 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. 10 દિવસ સુધી માતાજીના ભક્તો શ્રદ્ઘા ભાવથી પૂજાનો સંકલ્પ લઇને સ્થાપના કરશે. આ વખતે નવરાત્રિમાં પહેલા નોરેતે સર્વાર્થ સિદ્ઘિ યોગ, અમૃત સિદ્ઘિ યોગ, દ્ઘિપુષ્કર નામનો શુભ યોગ બની રહ્યો છે. આથી નવરાત્રિની શરૂઆત ખૂબ જ સારા દિવસે થઇ રહી છે.
બીજો સારો યોગ એ છે આ વખતે નવે નવ દિવસ નવરાત્રિ માણવા મળશે. મોટાભાગે તિથિઓને ક્ષય હોવાને કારણે નવરાત્રિના દિવસો ઓછા થઇ જાય છે. 9 દિવસ પૂજા થશે અને 10માં દિવસે માતાજીની વિદાઇ થશે. 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી માતાજીની પૂજા થશે.
આ વખતે ગરબા સ્થાપનના દિવસે સુખ સમુદ્ઘિના કારક શુક્ર ગ્રહનો ઉદય થવો ખૂબ જ શુભ ફળદાયી છે. શુક્રવારનો સંબંધ લક્ષ્મીજીની સાથે છે. નવરાત્રિમાં માતાજીના બધા સ્વરૂપોની પૂજા થાય છે. શુક્રનો ઉદય ભક્તો માટે સુખ સમુદ્ઘિ દાયક છે. ધનની ઇચ્છા રાખતા ભક્તો નવરાત્રિના દિવસોમાં માતાજીની ઉપાસના તરીકે આર્થિક મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આ દિવસે બુધનું શુક્રના ઘર તુલામાં આવવું પણ શુભ ફળદાયી સાબિત થશે.
આ વખતે નવરાત્રિની શરૂઆત રવિવારે થઇ રહી છે, તેનુ સમાપન મંગળવારના રોજ થશે. એવામાં નવરાત્રિમાં બે સોમવાર અને 2 રવિવાર આવે છે. પહેલા સોમવારના દેવી બ્રહ્મચારિણીની પૂજા થશે અને અંતિમ સોમવારના મહાનવમીના દિવસ સિદ્ઘિયાત્રીની પૂજા કરવામાં આવશે. નવરાત્રિમાં બે સોમવાર હોવાનું શુભ ફળદાયી માનવામાં આવે છે.
આ વર્ષે નવરાત્રિનો આરંભ હસ્ત નક્ષત્રમાં થઇ રહ્યો છે. આ નક્ષત્રમાં ગરબાની સ્થાપના કરવામાં આવે છે. હસ્ત નક્ષત્રના 26 નક્ષત્રોમાં 13મો અને શુભ માનવામાં આવે છે. જેના સ્વામી ચંદ્ર છે. આ નક્ષત્રમાં જ્ઞાન, મુક્તિ અને મોક્ષનું પ્રદાન કરનારું માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કળશમાં જળ ભરી પૂજાનો સંકલ્પ શુભ ફળદાયી માનવામાં આવે છે.
આ વખતે નવરાત્રિના બીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બર અને ચોથા નોરતે એટલે કે 2 ઓક્ટોબરના રોજ અમૃત સિદ્ઘિ નામનો શુભ યોગ બની જાય છે.
નવરાત્રિમાં 3 રવિ યોગ બની રહ્યા છે. ત્રીજા નોરતે એટલે કે 1 ઓક્ટોબરે, છઠ્ઠા નોરતે એટલે કે 4 ઓક્ટોબર અને સાતમા નોરતે એટલે કે 5 ઓક્ટોબરના શુભ યોગ બની રહ્યો છે. 8 ઓક્ટોબરે આ જ યોગમાં દશેરાનો તહેવાર છે.
આ માટે નવરાત્રિ એટલા માટે ખાસ છે કેમકે નવરાત્રિ દરમિયાન 4 સર્વાર્થ સિદ્ઘ યોગ બની રહ્યા છે. આવામાં સાધકોને સિદ્ઘિ પ્રાપ્ત કરવા માટે તક મળે છે. આ ગાળા દરમિયાન શુભ કામ કરી શકાય છે. 26 સપ્ટેમ્બર, 6 અને 7 ઓક્ટોબરના શુભ યોગ બની રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT