ભારતમાં એવા ઘણા મંદિર છે જેની સાથે પુરાતનકાળની ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે. કેટલાક મંદિરો સાથે ઘણી રહસ્યમય વાર્તાઓ પણ બનેલી છે.
માત્ર પાંચ કલાક માટે જ ખુલ્લુ રહે છે
છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના એક પહાડ પર આ મંદિર છે
માત્ર પુરુષો જ કરે છે પૂજા પાઠ
માત્ર પાંચ કલાક માટે જ ખુલ્લુ રહે છે
ભારતમાં એવા ઘણા મંદિર છે જેની સાથે પુરાતનકાળની ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે. કેટલાક મંદિરો સાથે ઘણી રહસ્યમય વાર્તાઓ પણ બનેલી છે. ઘણા મંદિરો સાથે જોડાયેલી વાર્તાઓને કારણે ભારતના અમુક મંદિરો માત્ર દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે. કેટલાક મંદિરો તેમની બનાવટને કારણે પ્રખ્યાત છે, તો કેટલાક મંદિરો તેની સાથે જોડાયેલી આસ્થાને કારણે પ્રખ્યાત છે. આજે જે મંદિર વિશે તમે વાંચી રહ્યા છો, તેની પણ એક અનોખી ખાસિયત છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર પાંચ કલાક માટે જ ખુલ્લુ રહે છે. સાથે જ અહિયાં મહિલાઓ માટે પણ ખાસ નિયમો બનાવ્યા છે.
છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના એક પહાડ પર આ મંદિર છે
આ મંદિર છે નિરઈ માતાના મંદિરની. આ મંદિર છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાથી 12 કિલોમીટર દૂર એક પહાડી પર છે. આ મંદિરમાં નિરઈ માતાને સિંદુર, સુહાગ, શૃંગાર, કુમકુમ, ગુલાલ, ચઢાવવામાં નથી આવતું, પણ નારિયેળ અને અગરબત્તીથી જ માતાને પ્રસન્ન કરવામાં આવે છે. આ મંદિર ચૈત્ર મહિનામાં માત્ર 5 કલાક માટે જ ખૂલે છે. તેનો સમય સવારે 4 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધી જ ખુલ્લુ રહે છે. બાકીના દિવસોમાં આ મંદિર બંધ રહે છે.
માત્ર પુરુષો જ કરે છે પૂજા પાઠ
આ સમયમાં હજારો લોકો અહીં આવે છે. માનવામાં આવે છે કે અહિયાં માતાજી આગળ આપમેળે દીવો પ્રજ્વલિત થાય છે. આ રહસ્ય અકબંધ છે. આ ચમત્કાર કઈ રીતે થાય છે તે હજી સુધી કોઈ નથી જાણી શકતું. ગામના લોકો કહે છે કે આ જ્યોત તેલ વિના આપમેળે પ્રજ્વલિત રહે છે. બીજી એક ખાસ વાત એ છે કે અહિયાં માત્ર પુરુષો જ પૂજા પાઠ કરી શકે છે. જ્યાં મહિલાઓ પૂજા પાઠ નથી કરી શકતી.