બ્રેકિંગ ન્યુઝ
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kishan Singh Solanki was suspended by BJP for 6 years
Dhruv
Last Updated: 01:34 PM, 3 October 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. એ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CR પાટીલના આદેશ બાદ ભાજપ નેતા કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે કિશનસિંહ સોલંકીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં AAPના ભગવંત માન સાથે તેઓએ ફોટો મૂક્યો હતો.
AAPએ શું કહ્યું?
સામે પક્ષે AAPના નેતાઓએ કહ્યું હતું કે જાહેર જીવનમાં પ્રસંગ હોય તેવા સમયે નેતાઓ એકબીજાને શુભકામના પાઠવતા હોય છે. આવામાં ભાજપના નેતા કિશનસિંહ સોલંકીએ માત્ર ભગવંત માનને શુભેચ્છા પાઠવીને ફોટો શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આટલી નાની વાતમાં ભાજપ જો પોતાના નેતાને સસ્પેન્ડ કરી દેતી હોય તે તો બહુ કહેવાય.
ભાજપે શું કહ્યું?
તો આ બાજુ ભાજપના યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે પક્ષના કોઈ પણ નેતા શિસ્તની બહાર જાય છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. આ કાર્યવાહી પણ તેના આધારે જ કરાઈ છે. આપના નેતાઓ શું કહે છે તેના પર અમે પ્રતિક્રિયા આપવા બંધાયેલ નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ