બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ભારત / Khalistani terrorist Lakhbir dies in Pakistan, Mumbai attacks mastermind Sajid Mir is In Hospital
Megha
Last Updated: 02:59 PM, 5 December 2023
ખાલિસ્તાની લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ લખબીર સિંહના ભાઈ અને પૂર્વ અકાલ તખ્ત જથેદાર જસબીર સિંહ રોડે તેમના મૃત્યુની જાણકારી આપી છે. 72 વર્ષીય લખબીર સિંહને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF) અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)ના પ્રમુખ માનવામાં આવતા હતા.
Pakistan से Operate कर रहा Khalistani आं. तक. वादी…Lakhbir Singh Rode निप. ट गया है… pic.twitter.com/PRFCHvRtCE
— Jyot Jeet (@activistjyot) December 5, 2023
પંજાબના મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી લખબીર અગાઉ દુબઈ ભાગી ગયો હતો, જ્યાંથી તે પાકિસ્તાન ગયો હતો. ખાલિસ્તાની આતંકવાદી લખબીર વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં હાર્ટ એટેકના કારણે લખબીરનું મોત થયું છે. રિપોર્ટ અનુસાર લખબીરના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા છે. તેમના બે પુત્રો, એક પુત્રી અને પત્ની કેનેડામાં રહે છે.
લખબીર રોડે પર પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ હતો. સરહદ પારથી તે પંજાબમાં VVIP લોકો અને નેતાઓને નિશાન બનાવી રહ્યો હતો. તેના પર હથિયારો અને વિસ્ફોટકોનો માલ ભારતમાં મોકલવાનો પણ આરોપ હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેના પર પંજાબમાં હુમલા કરવા માટે ગેંગસ્ટરોને જોડવાનો પણ આરોપ હતો. UAPA ઉપરાંત અન્ય ઘણી કલમો હેઠળ પણ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
India's most wanted LeT terrorist & one of key conspirator of 26/11 Mumbai terror attack Sajid Mir is poisoned by ‘Unknown Men’ inside Central Jail of Dera Ghazi Khan in Pakistan !
— Major Surendra Poonia (@MajorPoonia) December 4, 2023
These men entered in to jail & poisoned Sajid Mir ..this jail is the safest heaven for Paki… pic.twitter.com/AEb3CnZwmg
લશ્કર કમાન્ડર સાજિદ મીર પણ હોસ્પિટલમાં દાખલ
આ સિવાય વધુ એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક આતંકવાદી અને લશ્કર કમાન્ડર સાજિદ મીરને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે મુંબઈમાં 26/11ના હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડમાંથી એક છે. ગયા વર્ષે જૂનમાં આતંકવાદ વિરોધી અદાલતે મીરને સજા સંભળાવી હતી, ત્યારબાદથી તે કોટ લખપત જેલમાં બંધ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લશ્કર કમાન્ડરને જેલની અંદર ઝેર આપવામાં આવ્યું હતું અને ત્યારથી તે વેન્ટિલેટર પર છે.
તે ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 8 વર્ષની સજા ભોગવી રહ્યો છે
આતંકવાદી મીરને ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત તેના પર 4.2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી ભારે દબાણ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાન સરકાર માટે FATFની કાર્યવાહીથી બચવાનો આ એકમાત્ર રસ્તો હતો. તે જાણીતું છે કે FATF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આતંકવાદને ધિરાણ અને મની લોન્ડરિંગના મામલાઓ પર નજર રાખે છે. મીરને ગયા એપ્રિલમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો, જોકે તેની જેલની સજા જૂન 2022માં જ આપવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો