બ્રેકિંગ ન્યુઝ
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત
VTV / karwachauth par ghar pahucha murder case me faraar pati patni ne police ko kiya phone said arrest my husband
Premal
Last Updated: 12:40 PM, 25 October 2021
દુકાનમાં માતા-પુત્રીને ગોળી મારવામાં આવી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 19 ઓક્ટોબરે સવારે નજફગઢના રામ બજારમાં એક દુકાનની અંદર માતા-પુત્રીને ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં વૃદ્ધ માતાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે પુત્રીની સારવાર હજી ચાલી રહી છે. પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમ્યાન આરોપી રાજીવ ગુલાટીની ઓળખ કરી અને તેને શોધવા માટે પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઘણાં સ્થાનો પર તપાસ કરવામાં આવી. તેમ છતાં આરોપી ફરાર થયો હતો.
કરવાચૌથના દિવસે પત્નીએ પતિને પોલીસને સોંપ્યો
રવિવારે કરવાચૌથ હોવાથી આરોપી પત્નીને મળવા માટે પોતાના ઘરે ગયો હતો. પતિ ઘરે આવતા જ પત્નીએ પોલીસને ફોન કરી જણાવ્યું કે હત્યા કેસમાં તેનો પતિ ફરાર હતો. અત્યારે તે ઘરે આવ્યો છે અને પોલીસ હવે તેની ધરપકડ કરી લે. પોલીસે આરોપી રાજીવની તેના ઘરમાંથી ધરપકડ કરી. પોલીસે રાજીવ પાસેથી હત્યામાં વપરાયેલા હથિયારો જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યાં મુજબ, આ મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપી અને પીડિત પરિવાર વચ્ચે મિલકત અંગે થયો હતો વિવાદ
મહત્વનું છે કે, રાજીવ ગુલાટી અને પીડિત પરિવારનો મિલકતને લઇ વિવાદ ચાલતો હતો. ત્યારબાદ આરોપીએ પીડિત પરિવાર પાસેથી બે લાખ રૂપિયા ઉધાર પણ લીધા હતા. પીડિત માતા-પુત્રીએ આરોપી પાસેથી ઘણી વખત પૈસા માંગ્યા હતા. જેને કારણે બંને વચ્ચે ઉગ્ર વાતચીત થઇ હતી. ત્યારબાદ રાજીવે 19 ઓક્ટોબરે સવારે વૃદ્ધ મહિલા અને તેની પુત્રીને ગોળી મારી દીધી. જેમાં માતાનું મોત થયુ. માતા અને પુત્રી અને આરોપી સંબંધીઓ હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ