બ્રેકિંગ ન્યુઝ
VTV / kamalnath government education minister prabhuram chaudhary force retirient teachers
ADVERTISEMENT
આ શિક્ષકોને 20:50ની ફોર્મ્યૂલા એટલે કે 20 વર્ષની નોકરી અને 50 વર્ષની ઉમરની ફોર્મ્યૂલા અંતર્ગત તેમને હટાવી દેવામાં આવ્યા છે. આ પરીક્ષા એ શાળાઓમાં લેવામાં આવી હતી જ્યાં ઓછું રિઝલ્ટ આવતું હોય. જે સ્કૂલનું પરિણામ 30 ટકાથી પણ ઓછું રહ્યું હતું.
5891 શિક્ષકોમાંથી 1351 શિક્ષકો થયાં નાપાસ
ADVERTISEMENT
તેવી સ્કૂલોમાં આ પ્રકારની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે કુલ 5891 શિક્ષકોએ પરીક્ષા આપી હતી જેમાંથી 1351 શિક્ષકો નાપાસ થયા છે. ત્યારબાદ ફેલ થયેલા શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી અને ત્યાર ફરી પરીક્ષા લેવામાં આવી. છતાં પણ 84 એવા શિક્ષક હતા જેઓ 33 ટકાથી પણ ઓછા માર્ક્સ લાવ્યા અને ફેલ થયા હતા.
ADVERTISEMENT
26 અધ્યાપકોને ચેતવણી
બંને વખતે પરીક્ષામાં નાપાસ થયેલા 26 શિક્ષકોને ઉચ્ચ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી ચેતવણી આપી હતી. તેઓને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોકલવામાં આવી રહ્યા છે. તે જ સમયે, 20 વર્ષની નોકરી અથવા 50 વર્ષ જુની ફોર્મ્યુલા હેઠળ આવતા 18 શિક્ષકોમાંથી 16 બળજબરીથી નિવૃત્ત કરાયા હતા. બે શિક્ષકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે અન્ય 20 શિક્ષકો સામે વિભાગીય તપાસ શરૂ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.