બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Junagadh CR Patil boosted the enthusiasm of the workers
Ajit Jadeja
Last Updated: 03:39 PM, 31 March 2024
લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેને લઇ કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ બાદ હવે જૂનાગઢના પ્રવાસે પહોચ્યા છે.
લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપને વડોદરાથી શરૂ થયેલો વિવાદ, રાજકોટ, સાબરકાંઠા સુધી પહોચ્યો છે. ત્યારે ભાજપ માટે જેટલુ મનાતુ હતુ તેટલુ 26 બેઠકો જીતવું આસાન હવે નથી લાગી રહ્યુ. આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોચતા કાર્યકરોમાં તેની અસર જોવા મળી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કાર્યકરોમાં ઉત્સાહ વધારવા મેદાનમાં ઉતર્યા છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે જુનાગઢના પ્રવાસે પહોચ્યા છે. જુનાગઢ શહેર કાર્યાલયના ઉદઘાટનમાં પાટીલે બુથ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે કાર્યકરોનું મહત્વ પક્ષ માટે શું છે તે સમજાવ્યુ હતું. અને ટ્યૂબમાં હવા ભરવા માટે પંપ જોઇએ તેમ કાર્યકરો પક્ષ માટે મહત્વના છે. તેમણે કહ્યુ હતુ કે ભાજપના કાર્યકરો, બૂથ પ્રમુખ, પેજ સભ્યો ભાજપના પંપ છે. ઉમેદવારના ખાતામાં મત નખાવવા હોય તો એના માટે પંપ બનીને તમે જ મહેનત કરી શકો. કૃષ્ણ દ્રારકામાં રહેતા હતા પણ કેટલાંક વિરોધીઓ તેમાં વિશ્વાસ કરતા નહોંતા. મોદીએ બતાવ્યું કૃષ્ણની દ્રારકા નગરી આજે પણ અસ્તીત્વ ધરાવે છે.
બે દિવસ પહેલા સી.આર.પાટલ રાજકોટ પહોચ્યા હતા. વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બેઠમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને ટકોર કરી હતી. પાટીલે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરવા કાર્યકરોને ટકોર કરી હતી. પાટીલે વધુમાં કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે. સહકાર, સંગઠન અને સરકારના ઘણા કામો છે. લોકોની વચ્ચે રહો અને મદદરૂપ બનો, સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ કાર્યકરોએ કરવું જોઇએ. ભાજપનો કાર્યકર સેવાભાવી કાર્યકર છે. જનતાની વચ્ચે રહી મદદરૂપ બનવું જોઇએ. ભાજપ કાર્યકરે સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ. મોદી સરકારે 4 કરોડથી વધુ લોકોને પોતાનું પાકું ઘર અપાવ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog