બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 why Kolkata Knight Riders lost Shreyas Iyer explains

IPL 2024 / 'વિચાર્યું નહોતું કે અમે...', આખરે કેમ કોલકાતા નાઇટ રાઇડર્સ હાર્યું, શ્રેયસ અય્યરે જણાવ્યું કારણ

Megha

Last Updated: 09:24 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરે સદી ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે હાર વિશે વાત કરતાં કહ્યું કે અમે ચોક્કસપણે આવું નહતું વિચાર્યું..'

KKR vs RR IPL 2024: રાજસ્થાન રોયલ્સનું અત્યાર સુધી આ IPLમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમે લીગમાં અત્યાર સુધી એક મેચ સિવાય તમામ જીત મેળવી છે. મંગળવારે રાજસ્થાને પણ રોમાંચક મેચમાં કોલકાતા સામે બે વિકેટે જીત મેળવી હતી. હવે KKRની હાર બાદ શ્રેયસ અય્યરે મોટું નિવેદન આપ્યું છે. 

આઈપીએલ 2024ની 31મી લીગ મેચમાં જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરીને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 223 રન બનાવ્યા ત્યારે તેઓએ વિચાર્યું પણ નહીં હોય કે ટીમને હારનો સામનો કરવો પડશે. કેપ્ટન શ્રેયસ અય્યરે પણ આ વાત સ્વીકારતા કહ્યું હતું કે તેણે વિચાર્યું ન હતું કે અમે આ પરિસ્થિતિમાં આવીશું. 

રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરે સદી ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. એક સમયે કેકેઆરની ટીમ જીતી રહી હોય તેવું લાગતું હતું, પરંતુ બટલર રાજસ્થાનની ટીમ માટે એકલો ઊભો રહ્યો અને જીતીને જ પરત ફર્યો. મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે હાર વિશે વાત કરતાં કહ્યું, "ખરેખર આજે લાગણીઓ એક રોલર કોસ્ટર હતી, ચોક્કસપણે વિચાર્યું ન હતું કે અમે આ સ્થાન પર પહોંચીશું. શું થયું તે સમજાવવું મુશ્કેલ છે પણ અમારે તેનો સામનો કરવો પડશે અને આગળ વધવું પડશે. ખુશી છે કે તે અહીં થયું અને ટૂર્નામેન્ટના અંતે નહીં. મહત્વની વાત એ છે કે અમે અમારી ભૂલોમાંથી શીખીએ છીએ અને મજબૂત રીતે પાછા આવીએ છીએ.'

નાઈટ રાઈડર્સે છેલ્લી ઓવરમાં 9 રન બચાવવાની જવાબદારી સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને સોંપી હતી, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયો હતો. અય્યરે તેને છેલ્લી ઓવર નાખવાના નિર્ણયનો બચાવ કર્યો. તેણે કહ્યું, 'બટલર આસાનીથી શોટ ફટકારી રહ્યો હતો, તેથી મેં વિચાર્યું કે બોલની સ્પીડ ઓછી કરીને વરુણ ચક્રવર્તીને આપીએ, પરંતુ તેણે સફળતાપૂર્વક મોટો શોટ રમ્યો હતો.'

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રાજસ્થાને 2 વિકેટે જીત મેળવી હતી. સુનીલ નારાયણની સદીના આધારે KKRએ 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને રાજસ્થાને છેલ્લા બોલે હાંસલ કરી લીધો હતો. આરઆરની આઠ વિકેટ પડી હતી. નરેનની સદી પર રાજસ્થાનના ઓપનર જોસ બટલરની સદીથી ભારે પડી હતી. બટલરે 60 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 107 રનની અણનમ ઇનિંગ રમી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ