બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:52 PM, 29 October 2022
ADVERTISEMENT
આમ માણસ માટે રાહતના સમાચાર છે. દેશનાં બજારમાં સોયાબીન અને મગફળીની વધતી જતી આવકને કારણે, અન્ય ખાદ્યતેલના ભાવ પર દબાણને કારણે શનિવારે દિલ્હી તેલ-તેલીબિયા બજારમાં સરસવ, સોયાબીન, સીંગતેલ-તેલીબિયાં અને ક્રૂડ પામ ઓઈલ (CPO) અને પામોલિનમાં ઘટાડો થયો હતો. ફરસાણ બનાવતી કંપનીઓની માંગને કારણે કપાસિયા તેલના ભાવમાં સુધારો થયો હતો.
વેપારીઓએ જણાવ્યું હતું કે કંડલા પોર્ટ પર સીપીઓ અને પામોલીન ઓઈલ આયાત ભાવ કરતાં મોંઘા થઈ રહ્યા હોવાથી માંગને કંઈક અંશે અસર થઈ છે, જેના કારણે સીપીઓ અને પામોલીન તેલના ભાવમાં ઘટાડો થયો છે. તેની અસર મગફળી સહિતના તેલીબિયાંના ભાવ પર પણ પડી છે, જેના કારણે તેના ભાવ પણ દબાણ હેઠળ છે. તેમણે કહ્યું કે દેશમાં ખાદ્યતેલોની લગભગ 70 ટકા માંગ આયાત દ્વારા પૂરી થાય છે, તેથી માત્ર સ્થાનિક તેલીબિયાં પર 'સ્ટોક લિમિટ' લાદવાનું કોઈ વ્યાજબી નથી.
ADVERTISEMENT
આયાતકારોની હાલત ખરાબ
સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી, સીપીઓ અને સોયાબીનના ભાવ કદાચ વાયદાના વેપારમાં કેટલીક મોટી કંપનીઓ દ્વારા નીચા રાખવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક આયાતકારોની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને તેમના વ્યવસાયને ખરાબ રીતે અસર થઈ હતી. હવે આ તેલની આયાત કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓ સંભાળે છે.
ખાદ્ય તેલ પર આયાત ડ્યુટી લગાવવી જોઈએ
સૂત્રોએ જણાવ્યું હતું કે દેશના તેલ ઉદ્યોગોના મોટા સંગઠનોએ સરકારને જણાવવું જોઈએ કે તેમની ક્વોટા સિસ્ટમને કારણે તેલના પુરવઠાની અછતની સ્થિતિ સર્જાઈ છે. તેમણે કહ્યું કે સરકારે સોયાબીન અને સનફ્લાવર જેવા તમામ ખાદ્ય તેલ પર ઓછામાં ઓછી 5.50 ટકા આયાત ડ્યુટી લગાવવી જોઈએ.
ADVERTISEMENT
શિયાળાની સીઝન શરુ થતા તેલની માંગમાં વધારો થશે
શિયાળાની સીઝન શરુ થતા તેલની માંગમાં નોંધપાત્ર વધારો થશે. સૂર્યમુખી અને સોયાબીન તેલની આયાત કરવામાં દોઢથી બે મહિના જેટલો સમય લાગતો હોવાથી સરકારે આયાત ડ્યુટી લાદવા અંગે તાત્કાલિક નિર્ણય લેવો પડશે.
શનિવારે, તેલીબિયાંના ભાવ
મગફળી તેલ મિલ ડિલિવરી (ગુજરાત) - રૂ. 15,750 પ્રતિ ક્વિન્ટલ
તલના તેલની મિલ ડિલિવરી - રૂ. 18,800 પ્રતિ ક્વિન્ટલ
કપાસિયા મિલ ડિલિવરી (હરિયાણા) - રૂ. 13,200 પ્રતિ ક્વિન્ટલ
પામોલિન એક્સ- કંડલા - રૂ. 9,500 (જીએસટી વિના) પ્રતિ ક્વિન્ટલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.