બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / indias excess deaths during pandemic up to 4 to 9 million study
Mayur
Last Updated: 01:53 PM, 21 July 2021
અંદાજે 4.9 મિલિયન કરતાં વધારે મૃત્યુ
વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના અહેવાલમાં આ વર્ષ જૂન મહીનાની શરૂઆતમાં રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી તમામ કારણોથી થયેલ મૃત્યુનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ દ્વારા સહ-લિખિત અહેવાલ છે.
આ અભ્યાસ દર્શાવે છે કે, કોવિડ મહામારી દરમિયાન દેશમાં થયેલ વધારાના મૃત્યુ અંદાજે 4.9 મિલિયન કરતાં વધારે હોઈ શકે છે, વધુ એક અભ્યાસમાં દર્શાવાયુ છે કે, સત્તાવાર આંકડા કરતા કરોડો લોકો કોરોનાવાયરસથી મરી ગયા હોવાની સંભાવના છે.
વિશ્વમાં મૃત્યુની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે ભારત
ભારતમાં સત્તાવાર આંકડાઓ મુજબ 4,14,000 થી વધુ લોકોની મૃત્યુ થયા હતા. અમેરિકા અને બ્રાઝિલ પછી આ વિશ્વમાં મૃત્યુની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે ભારત આવે છે. આ સાથે દેશભરમાં જીવલેણ મોતની કડક ઓડિટ કરવા માટે નિષ્ણાતો દ્વારા માગ કરવામાં આવી હતી.
સત્તાવાર આંકડા દર્શાવે છે કે, વિશ્વમાં એપ્રિલ અને મે મહિનામાં ભયાનક રીતે સંક્રમણ વધ્યું હતું, જેમાં મુખ્યત્વે વધુ ચેપી અને ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર હતો , જેણે માત્ર મે મહિનામાં જ ઓછામાં ઓછા 170,000 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "દુ:ખદ વાત એ છે કે સેંકડો હજારો નહીં પરંતુ લાખો લોકો મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે," અહેવાલમાં જણાવાયું છે કે, મહામારી દરમિયાન 4.4 મિલિયનથી 9 મિલિયન જેટલા વધારે મોત નીપજતા હતા.
જો કે એક હકીકત એ પણ છે આ અહેવાલમાં નાનાં મોટા તમામ કારણોના લીધે થયેલા વધારાના મૃત્યુનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
લેખકોએ જણાવ્યું હતું કે " અમે મૃત્યુના તમામ કારણો ધ્યાનમાં લઈ, મહામારી અગાઉના સમયની સ્થિતિ અને ઋતુગત ફેરફારોને પણ નજરમાં રાખીને અંદાજ લગાવ્યો છે."
સ્વાસ્થ્ય મંત્રાલયે જો કે આ અહેવાલને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ અમુક નિષ્ણાંતોના મતાનુસાર વધારાના મૃત્યુનો આંકડો જ આપણને કોવિડના કારણે થયેલા મૃત્યુના સાચા આંકડાઓ તરફ લઈ જાય છે.
WHO ના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ટ્વિટર પર આપી પ્રતિક્રિયા
આ અહેવાલને પગલે WHO ના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી કે "દરેક દેશ માટે આ પ્રકારે વધારાના મૃત્યુ પણ ધ્યાનમાં લેવા જરૂરી છે જેનાથી કોરોનાના કારણે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો સામનો કરવો સરળ રહે અને રક્ષણાત્મક પગલાં લઈ શકાય"
ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા જણાવાયું હતું કે ભારતમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાં 6 લાખ મૃત્યુ થયા હોવાની સંભાવના છે પરંતુ સરકારે આ આંકડા ફગાવી દીધા હતા.
નિષ્ણાંતોની પ્રતિક્રિયા
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મોટા ભાગના અંતરિયાળ વિસ્તારના દુર્લભ સંસાધનો પર નભતી ભારતીય વસ્તી જેમાં ભારતની આશરે 1.4 અબજ વસ્તીના બે તૃતીયાંશ વસ્તી છે, અને પરીક્ષણ કર્યા વિના ઘરે બેઠેલાં ઘણાં લોકોના મોત ગણવામાં નથી આવ્યા.
દેશમાં મે મહિનાથી દૈનિક સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે, જેમાં મંગળવારના 30,093 નવા કેસ છે જે ચાર મહિનામાં તેની સૌથી ઓછાં દૈનિક કેસ હતા.
આ ઉપરાંત રસીકરણ અભિયાનમાં થયેલ ગેરવ્યવસ્થા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સરકારની પણ આલોચના કરવામાં આવી છે, જેનું કહેવું છે કે ચેપના બીજા મોજાને વધુ ખરાબ કરવામાં મદદ કરે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો