બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

VTV / India reports second confirmed case of Monkey Pox from Kannur district in Kerala: Officials

મહામારી / ભારતમાં ચિંતા વધી, કેરળમાં મંકિપોક્સનો બીજો કેસ, આવા લક્ષણો હોય તો 21 દિવસ ઘેર રહેવાની જરુર

Hiralal

Last Updated: 04:22 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હવે મંકિપોક્સનો ફેલાવો વધી રહ્યો છે. કેરળના કન્નુરમાં વધુ એક શખ્સ મંકિપોક્સ પોઝિટીવ નીકળ્યો છે.

  • ભારતમાં મંકિપોક્સનો ફેલાવો વધ્યો
  • કેરળમાં નોંધાયો બીજો કેસ
  • પહેલો કેસ પણ કેરળમાં જ નોંધાયો હતો
  • કન્નુરમાં એક દર્દી પોઝિટીવ નીકળ્યો 

વિશ્વના 70 દેશમાં ફેલાયેલા મંકિપોક્સ વાયરસનો હવે ભારતમાં ફેલાવો વધતો જાય છે. લોકોની બેદરકારી નવી આફત નોંતરે નહીં તો સારુ. લોકોએ હવે સાવધાન થઈ જવાની જરુર છે. મંકિપોક્સ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારમાં વધારે પ્રમાણમાં ફેલાય છે એટલે બીનજરુરી ભીડ ભેગી થતી અટકાવવાની તાતી જરુર છે.કેરળના કન્નુરમાં મંકિપોક્સનો બીજો કેસ નોંધાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે બીજા કેસની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કન્નુરના જે શખ્સનો ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેના સેમ્પલ આજે પોઝિટીવ આવ્યાં છે. દર્દીને હાલમાં અલગ રાખીને તેની સારવાર કરાઈ રહી છે. તકેદારીના પગલાં લેવાઈ રહ્યાં છે. 

દર્દીની સ્થિતિ સારી- હેલ્થ મિનિસ્ટર 
કેરળના હેલ્થ મિનિસ્ટર વીણા જ્યોર્જે કહ્યું કે કન્નુરના 31 વર્ષીય વ્યક્તિની હાલમાં પરીયારમ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. દર્દીની સ્થિતિ સારી હોવાનું કહેવાય છે. દર્દી સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ ચાલી રહી છે. 

એરપોર્ટ પર શરુ કરાયા હેલ્પ ડેસ્ક 
રવિવારે, આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું હતું કે કેરળમાં મંકીપોક્સના કેસ નોંધાયા બાદ તિરુવનંતપુરમ, કોચી, કોઝિકોડ અને કન્નુર આંતરરાષ્ટ્રીય વિમાનમથકો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.

મંકિપોક્સના લક્ષણોવાળા લોકોએ 21 દિવસ સુધી ઘરે રહેવું જોઈએ
નિવેદન અનુસાર, છેલ્લા 21 દિવસમાં જ્યાં મંકીપોક્સના કેસ નોંધાયા છે તેવા દેશોમાંથી આવતા મુસાફરો ઉપરાંત, તાવ, ફોલ્લા, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, ગળામાં દુખાવો અને ખોરાક ગળવામાં મુશ્કેલી જેવા લક્ષણો ધરાવતા લોકોએ એરપોર્ટ પર હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો જોઈએ. મંત્રીએ કહ્યું કે જિલ્લાઓમાં આઇસોલેશન સેન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે અને મંકિપોક્સના લક્ષણોવાળા લોકોએ 21 દિવસ સુધી ઘરે રહેવું જોઈએ.

શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ?

યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.

ઝડપથી ફેલાવાનું કારણ ?

વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે.

શું છે મંકીપોક્સ વાયરસ ?

આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ