અબુ ધાબીના રિયાધમાંમાં હિન્દુ મંદિરનું નિર્માણ કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે, આ ઇન્ટરફેથ ફોરમમાં 35 દેશના 90 ધર્મના અલગ અલગ અગ્રણી અને પ્રતીનીધીઓ હાજર રહ્યાં હતાં.
We thank @MWLOrg for inviting us to the Forum on Common Values among Religious Followers. @BAPS was part of the first Hindu delegation invited to Saudi Arabia for a historic Interfaith Conference that sent a signal of peace and harmony to the world from the Gulf. pic.twitter.com/KxMUHa4CpJ
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) May 12, 2022
સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં અબુ ધાબીના BAPS હિંદુ મંદિરના ધર્મગુરુ અને પ્રવક્તા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ આ કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી હતી. જેમાં તેઓએ સૌ પ્રથમ BAPS સ્વામિનારાયણ સંસ્થાને ઇન્ટરફેથ ફોરમમાં આમંત્રણ આપવા બદલ મુસ્લિમ વર્લ્ડ લીગનો આભાર માન્યો હતો. ત્યાર બાદ તેઓએ જણાવ્યું હતું કે, "ચાલો આપણે સૌ આ પૃથ્વી પર સ્વર્ગ ઉભું કરવા સંવાદિતા અને સહનશીલતાના મૂલ્યોથી પ્રયત્ન કરવા કટિબદ્ધ થઈએ."
We thank @MWLOrg for inviting us to the Forum on Common Values among Religious Followers. @BAPS was part of the first Hindu delegation invited to Saudi Arabia for a historic Interfaith Conference that sent a signal of peace and harmony to the world from the Gulf. pic.twitter.com/fnM84ur15R
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) May 12, 2022
હિંદુ સંતના સંબોધનને વૈશ્વિક પ્રતિનિધિઓ તાળીઓના ગડગડાટથી વધાવ્યું
મહત્વનું છે કે, સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં ગત બુધવારે રિયાધ ખાતે યોજાયાો હતો. "હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલા, પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના શબ્દોને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ ઇસા અને સમાનતા અને એકતાના પ્રતિક સમાન ગણાવ્યું હતું. અને બાદમાં તેમની પ્રશંસા કરવામાં આવી હતી."
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) May 12, 2022
35 દેશના 90 ધર્મના અલગ અલગ અગ્રણી અને પ્રતીનીધીઓ પણ રહ્યા હાજર
મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત આ પરિષદમાં 35 દેશોમાંથી, વિવિધ ધર્મોના 90 અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદનો કેન્દ્રવર્તી વિચાર હતો - વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે સંવાદિતા અને સહિયારા મૂલ્યોનું પ્રસારણ. પરિષદમાં સૌ મહાનુભાવો વર્તુળાકાર બેઠક વ્યવસ્થામાં સમાનતા અને એકતાના સંદેશને પ્રસરાવતા ઉપસ્થિત હતા.
સાઉદી અરેબિયામાં હિંદુ સંતોને સોપ્રથમ વાર ઐતિહાસિક આવકાર*
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદને સંબોધન કર્યું હતું. pic.twitter.com/mYoU3nicwq
હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયામાં હિંદુ સંતોને સોપ્રથમ વાર ઐતિહાસિક આવકાર મળ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદને સંબોધન કર્યું હતું.