બ્રેકિંગ ન્યુઝ
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
VTV / Husband's Relationship Outside Marriage Not Ground to Assume Dowry Death Under Section 304B IPC, Says Delhi High Court
Hiralal
Last Updated: 04:25 PM, 9 September 2023
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે પતિના લગ્નેતર સંબંધો કે સટ્ટાબાજીની આદતો તેને દહેજ મૃત્યુ સાથે સંબંધિત ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 304બી હેઠળ ફસાવવાના આધાર ન હોઈ શકે. જસ્ટીસ વિકાસ મહાજનની સિંગલ બેંચે 5 સપ્ટેમ્બરના રોજના તેના આદેશમાં આ ટીપ્પણી કરી હતી. જ્યાં સુધી અરજદાર (પતિ/પુરુષ) અથવા સટ્ટાબાજીમાં સંડોવાયેલા અરજદારના લગ્નેતર સંબંધની વાત છે, ત્યાં સુધી તે અરજદારને આઈપીસીની કલમ 304 બી હેઠળ ફસાવવાનો આધાર ન હોઈ શકે. આ ટિપ્પણી આઈપીસીની કલમ 304 બી (દહેજ મૃત્યુ) અને 34 (સામાન્ય ઇરાદા) હેઠળ કોર્ટ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આવી છે. આઈપીસીની કલમ 304બીનો ઉલ્લેખ કરતા, હાઈકોર્ટે કહ્યું કે સતામણી અથવા ક્રૂરતા "મૃત્યુ પહેલાં તરત જ" હોવી જોઈએ અને દહેજની માંગ સાથે સંબંધિત હોવી જોઈએ. "મૃત્યુ પહેલાંની તરતની અભિવ્યક્તિ એ સાપેક્ષ અભિવ્યક્તિ છે. દરેક કિસ્સામાં સમયગાળો અલગ અલગ હોઈ શકે છે.
શું છે કેસ?
આ કેસમાં એક કપલ સામેલ છે, જેમણે 2020માં લગ્ન કર્યા હતા. થોડો સમય બધું સારી રીતે ચાલ્યું તે પછી પતિના લગ્નેત્તર સંબંધો હોવાનું અને તેને સટ્ટાબાજીની આદત હોવાનું બહાર આવતાં પત્નીએ ગત વર્ષે ઓગસ્ટમાં આત્મહત્યા કરી હતી. મહિલાના મોત બાદ તેના પિતાએ આઈપીસીની કલમ 304 બી હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પતિએ દલીલ કરી હતી કે વૈવાહિક વિખવાદને કારણે તેઓ એપ્રિલ 2021 થી અલગ રહેવા લાગ્યા હતા. મહિલા ચિંતા અને હતાશાની સારવાર લઈ રહી હતી. આ કેસમાં ચાર્જશીટ સાથે જોડાયેલી મહિલાના મેડિકલ ડોક્યુમેન્ટ્સને જોતા હાઈકોર્ટે શોધી કાઢ્યું કે તેની સારવાર ચાલી રહી છે અને તેને ચિંતા અને ડિપ્રેશનની દવાઓ આપવામાં આવી છે.
શું હતો મૃતક પિતાનો આરોપ
પોલીસને આપેલા નિવેદનમાં મહિલાના પિતાએ આરોપ લગાવ્યો કે, આ વ્યક્તિ તેની દીકરીને મોતના એક દિવસ પહેલા મળ્યો હતો અને તેને ધમકી આપી હતી. તે ઉપરાંત પતિને લગ્નત્તેર સંબંધો પણ હતા અને સટ્ટેબાજીની લત પણ હતી. આત્મહત્યાના એક દિવસ પહેલા જ્યારે તે કથિત રીતે મહિલાને મળ્યો હતો ત્યારે પિતાએ આરોપ લગાવ્યો ન હતો કે આ વ્યક્તિએ કોઈ દહેજની માંગ કરી ન હતી. કોર્ટના સવાલ પર, ફરિયાદી પક્ષે એ પણ સ્વીકાર્યું હતું કે "બતાવવા માટે રેકોર્ડ પર કંઈ નથી" કે એપ્રિલ 2021 માં મૃતકે તેના વૈવાહિક ઘરેથી નીકળ્યા પછી તે વ્યક્તિ દ્વારા દહેજની માંગ કરવામાં આવી હતી.
શું કહ્યું હાઈકોર્ટે
આ કેસમાં મૃતકના પિતાએ પતિને દહેજના ખોટા કેસમાં ફસાવ્યો હોવાનું કોર્ટને લાગ્યું હતું તેથી કોર્ટે સ્પસ્ટ કહ્યું કે પતિના અફેર કે સટ્ટેબાજીની આદત દહેજ હત્યા કેસમાં ફસાવાનો આધાર ન હોઈ શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ