બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Historic occasion in Ayodhya: CM Yogi lays first stone of sanctum sanctorum, says this will be Rashtramandir
ADVERTISEMENT
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે યુપીના CM યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે CM યોગીએ પહેલા ગર્ભગૃહનું વિધિવત પૂજન કર્યું હતું અને ત્યાર બાદ ત્યાં પથ્થર મૂકીને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ CM યોગીએ કહ્યું કે રામ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. તેમણે કહ્યું કે શિલાન્યાસ કરવો તેમના માટે સૌભાગ્યની વાત છે.
ADVERTISEMENT
રામ મંદિરથી ભારતને સન્માન મળશે - યોગી
અયોધ્યામાં પત્રકારો સાથે વાત ચીત કરતાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે હવે મંદિર નિર્માણનું કામ ઝડપથી આગળ વધશે. હવે એ દિવસ દૂર નથી જ્યારે ભગવાન રામની મૂર્તિ તૈયાર થઈ જશે. અમે બધા PM નરેન્દ્ર મોદી જીના આભારી છીએ જેમણે તેને લોન્ચ કર્યું. તેનાથી ભારતને સન્માન મળશે. અયોધ્યામાં 500 વર્ષથી હિંદુ ધર્મનું દુઃખ હતું. શિલા પૂજા કરવી મારા માટે સૌભાગ્યની વાત છે.
ADVERTISEMENT
मर्यादा पुरुषोत्तम श्री राम का भव्य मंदिर अयोध्या धाम में बनकर देश और दुनिया के सभी सनातन हिन्दू धर्मावलंबियों की आस्था का प्रतीक तो बनेगा ही, श्री राम जन्मभूमि मंदिर भारत का राष्ट्र मंदिर होगा: उत्तर प्रदेश CM योगी आदित्यनाथ pic.twitter.com/i9nohbyOoT
— ANI_HindiNews (@AHindinews) June 1, 2022
ADVERTISEMENT
મંદિરનું બાંધકામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે
શિલાન્યાસ પહેલા યોગી આદિત્યનાથ હનુમાન ગઢી મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી હતી. તેમને જણાવી દઈએ કે રામ મંદિરના ગર્ભગૃહના શિલાન્યાસ પ્રસંગે દેશભરના તમામ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બધાએ અહીં પહોંચીને રામ મંદિરના નિર્માણ અંગે ખુશી વ્યક્ત કરી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની આશા છે.આ માટે ત્રણ તબક્કાનું ફ્રેમ વર્ક તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. ત્યારથી મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.