બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 03:23 PM, 6 September 2023
Dates Benefits:આજની બદલાતી લાઇફસ્ટાઇલમાં ફિટ રહેવું પડકારજનક છે. સ્વસ્થ રહેવા માટે વિવિધ વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ પૌષ્ટિક વસ્તુઓમાં ખજૂરનો સમાવેશ થાય છે, જે સ્વાસ્થ્યનો ખજાનો છે. નિષ્ણાતોના મતે, જો તમે સવારે કે સાંજના નાસ્તામાં ખજૂર ખાઓ છો તો ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. ખજૂરને ખાવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, સાથે જ અન્ય ઘણા ફાયદા પણ થાય છે. તો આવો જાણીએ, ખજૂર ખાવાના અગણિત ફાયદા.
હાડકાને બનાવે છે મજબૂત
પોષક તત્વોથી ભરપૂર ખજૂર હાડકાંને મજબૂત બનાવે છે, આ પ્રોટીનથી ભરપૂર હોય છે. જે આપણા નબળા હાડકાને ફાયદો કરે છે. તેમાં સેલેનિયમ, મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે, જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તણાવથી રાહત આપવામાં મદદગાર
જો તમે દરરોજ થોડી ખજૂરનું સેવન કરો છો, તો તમારે વિટામિન સપ્લિમેન્ટની જરૂર નહીં પડે. આ તમને તણાવ મુક્ત રાખવામાં મદદ કરશે. તમે તેને તમારા આહારમાં સવારના નાસ્તામાં સામેલ કરી શકો છો.
પાચન માટે ફાયદાકારક
જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો ખજૂર તમારા માટે રામબાણ બની શકે છે. આ માટે ખજૂરને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો અને પછી ખાઓ. રોજ ખજૂર ખાવાથી તમારું પાચનતંત્ર સુધરશે. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે કબજિયાતની સમસ્યાને ઓછી કરે છે.
વજન ઘટાડવામાં મદદગાર
હેલ્થ એક્સપર્ટના મતે, જો તમે દરરોજ 4-6 ખજૂર ખાઓ છો તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તેને સવારના નાસ્તામાં ખાઈ શકો છો અથવા ગ્રીન ટી સાથે તમારા સાંજના નાસ્તામાં તેનો સમાવેશ કરી શકો છો. તે જંક ફૂડ ખાવાની ઇચ્છાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ત્વચા માટે લાભદાયક
ખજૂરમાં વિટામિન-સી, વિટામિન-ડી જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે તમારી ત્વચાને કોમળ બનાવે છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો પણ છે. આ ખાવાથી ત્વચા પણ સ્વસ્થ બને છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી
ખજૂરમાં હાજર ફાઇબર ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. તે બ્લડ શુગર લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફૂડ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે સાદા દહીંમાં ખજૂર ભેળવીને ખાવાથી ફાયદો થઈ શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime