બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Heavy snowfall in Kedarnath: Pilgrims on alert, devotees advised to stay in safe places

ચાર ધામ યાત્રા / કેદારનાથમાં ભારે હિમવર્ષા: યાત્રિકોને એલર્ટ રહેવા આદેશ, તંત્ર સતર્ક, શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યાએ રહેવા સૂચન

Priyakant

Last Updated: 10:06 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Char Dham Yatra 2023 News: રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટની અપીલ, મુસાફરોએ એક જ જગ્યાએ રહેવું જોઈએ અને હવામાન સારું ન થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ

  • ઉત્તરાખંડના ચારેય ધામોમાં હિમવર્ષા અને વરસાદ
  • ખરાબ હવામાન હોવા છતાં ભક્તોનું ઘોડાપૂર 
  • બાબા કેદારનાથ મંદિર હાલ બરફથી ઢંકાયેલું
  • હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસ માટે એલર્ટ જાહેર

ઉત્તરાખંડના ચારેય ધામોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. આ તરફ ખરાબ હવામાન હોવા છતાં આ સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. બાબા કેદારનાથ મંદિર હાલ બરફથી ઢંકાયેલું છે. ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

કેદારનાથ ધામની મુલાકાત માટે નોંધણી 3 મે સુધી બંધ કરી દેવામાં આવી છે. રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું કે, કેદારનાથ ધામમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, મુસાફરોએ એક જ જગ્યાએ રહેવું જોઈએ અને હવામાન સારું ન થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, આ સમયે કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને યાત્રાને નિયંત્રિત કરવામાં આવી રહી છે. સોનપ્રયાગથી સવારના 10:30 વાગ્યા પછી મુસાફરોને કેદારનાથ જવાની મંજૂરી નથી. 

રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટની અપીલ 
રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટ મયુર દીક્ષિતે તમામ મુસાફરોને અપીલ કરતાં કહ્યું હતું કે, તમામ મુસાફરોએ તેમની સલામતીની ખાસ કાળજી લેવી જોઈએ અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીને જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવો જોઈએ. તેમણે અપેક્ષા રાખી હતી કે, તમામ યાત્રિકો કેદારનાથની યાત્રા ત્યારે જ શરૂ કરશે જ્યારે હવામાન સારું રહેશે.

25 એપ્રિલે ખૂલ્યા હતા કેદારનાથ ધામના દરવાજા  
નોંધનીય છે કે, આ પહેલા 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના દરવાજા ખુલ્યાના દિવસે ઉત્તરાખંડ સરકારે યાત્રાના માર્ગ પર ભારે હિમવર્ષા અને હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા માટે યાત્રિકોની નોંધણીની અરજીઓ સ્વીકારવાનું બંધ કરી દીધું હતું.  

આ તરફ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામની મુલાકાત માટે રજીસ્ટ્રેશન 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને ઋષિકેશ સહિત અન્ય સલામત સ્થળોએ રહેવાની સૂચના આપી હતી. છેલ્લા ઘણા દિવસોથી ચારેય ધામોમાં હિમવર્ષા અને વરસાદની પ્રક્રિયા ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ