બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુરુ પૂર્ણિમાના દિવસે ભૂલ્યા વિના કરો આ ઉપાય, ગુરુ કૃપાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / ગુરુ પૂર્ણિમાના દિવસે ભૂલ્યા વિના કરો આ ઉપાય, ગુરુ કૃપાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

Last Updated: 07:40 AM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. સનાતન પરંપરામાં આ દિવસ ગુરુ પ્રત્યે આદર, સમર્પણ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

1/8

photoStories-logo

1. ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આટલું

ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસની જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુનું પૂજન, સ્નાન-દાન અને ભગવાનની આરાધના કરવાથી જ્ઞાન, સુખ, શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ, સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને આજના દિવસે કરવાના ખાસ ઉપાય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ

સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે. ગુરુ જ જીવનમાં સાચો માર્ગ બતાવીને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ દોરી જાય છે. મહર્ષિ વેદવ્યાસે વેદોનું વિભાજન કર્યું હતું તેમજ અનેક પુરાણો અને મહાભારત જેવા મહાગ્રંથોની રચના કરી હતી. તેથી તેમને આદિગુરુ તરીકે પૂજવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ મેળવવાથી જીવનમાં સફળતા અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે એવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ગુરુ પૂર્ણિમા 2026: તિથિ અને શુભ ચોઘડિયું

દ્રિક પંચાંગ અનુસાર આષાઢ સુદ પૂર્ણિમા તિથિ 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6:18 કલાકે શરૂ થઈ હતી અને 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:05 કલાકે પૂર્ણ થશે. ઉદયા તિથિના આધારે 29 જુલાઈ, બુધવારના રોજ ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સવારે 5:40 થી 9:05 વાગ્યા સુધીનો સમય ગુરુ પૂજન માટે શુભ માનવામાં આવે છે, જ્યારે અભિજિત અને શુભ ચોઘડિયું બપોરે 12:00 થી 12:55 વાગ્યા સુધી રહેશે. સાંજે 5:30 થી 7:15 વાગ્યા સુધી પણ પૂજા માટે શુભ સમય માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગુરુ પૂર્ણિમા પર સ્નાન-દાનનું શુભ મુહૂર્ત

ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન માટે સવારે 4:17 વાગ્યાથી 4:59 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવ્યો હતો. આ સમયે પવિત્ર સ્નાન કરીને જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર અથવા દક્ષિણાનું દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. આ રીતે કરો ગુરુનું પૂજન

આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ પોતાના ગુરુ અથવા ગુરુના પ્રતીકરૂપ ચિત્રનું વિધિપૂર્વક પૂજન કરવું. તેમને ફૂલ, ચંદન, અક્ષત અને દક્ષિણાનું અર્પણ કરીને આશીર્વાદ લેવા. જો ગુરુ પ્રત્યક્ષ હાજર ન હોય તો તેમના સ્મરણ સાથે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદવ્યાસની પણ આરાધના કરી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. અન્નદાનનું વિશેષ મહત્વ

ગુરુ પૂર્ણિમાના દિવસે અન્નદાનને અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભૂખ્યાને ભોજન કરાવવાથી અને જરૂરિયાતમંદોને અન્નનું દાન કરવાથી જીવનના અનેક કષ્ટો દૂર થાય છે. પોતાની ક્ષમતા મુજબ દાન કરવાથી સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. માનસિક શાંતિ માટે કરો આ ઉપાય

જો મનમાં ચિંતા, તણાવ અથવા અશાંતિ અનુભવાતી હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે શિવલિંગ પર જળમાં થોડું કેસર ભેળવીને અર્પણ કરો અને 'ૐ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો. ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Guru Purnima Muhurat, Guru Purnima 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ