બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મોબાઈલના કારણે છૂટાછેડા' થરાદમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ સોશિયલ મીડિયાને ગણ્યું જવાબદાર
Last Updated: 06:19 PM, 22 February 2026
Gautam Gediya Statement : હાલના સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ ખૂબ વધી રહ્યું છે ત્યારે હવે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડીયાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વાસ્તવમાં વાવ થરાદમાં આજે ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્નમાં ગૌતમ ગેડીયાએ વર-વધુને આશીર્વાદની સાથે સાથે આ સોશિયલ મીડિયા અને મોબાઈલને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજના આ યુગમાં છૂટાછેડા મોટેભાગે મોબાઈલના કારણે થાય છે.
ADVERTISEMENT
વાવ થરાદમાં આજે ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડીયા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન સમૂહલગ્નમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ છૂટાછેડાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
ગુરુ બ્રાહ્મણ સમાજના આ પ્રસંગે ગૌતમ ગેડિયાએ ખાસ જણાવ્યું કે, આજના સમયમાં છૂટાછેડા મોટેભાગે મોબાઈલના કારણે થાય છે. આનો અર્થ એ છે કે વ્યક્તિઓ પોતાના સાથે સતત જોડાયેલા રહેતા હોવાથી તેઓ વચ્ચેની દૂરીઓ અને સમસ્યાઓને યોગ્ય રીતે પહોંચી શકતા નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો : જાણીને પ્લાન ગોઠવજો! ગુજરાતમાં ઠંડી કે ગરમી? હવામાન વિભાગની આગાહી
સોશિયલ મીડીયા-મારો ઘરવાળો : ગૌતમ ગેડીયા
ADVERTISEMENT
ગૌતમ ગેડીયાએ કહ્યું કે, મારી બહેનો જે પ્રભુતામાં પગલાં પાડી એના સ્વગૃહે જઈ રહી છે તેમણે કહેવાનું કે, તમે મોબાઈલનો ઉપયોગ કરતાં હોય તો ફેસબુક.. મારો ઘરવાળો જે છે એજ મારુ ફેસબુક છે તે માનજો. મારો ઘરવાળો જ મારુ ઇન્સ્ટાગ્રામ છે, એ જ મારુ વૉટ્સએપ છે. આ ભાવ સાથે તમે તમારા સ્વગૃહે ખૂબ સુખી થાઓ એવી પ્રાર્થના.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.