બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Gayatri
Last Updated: 10:45 AM, 17 October 2019
રાજકોટ શહેરમાં દિવસે દિવસે રોગચાળો વધી રહ્યો છે.. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે. વહેલી સવારથી સિવિલ હોસ્પિટલના OPD સેન્ટરમાં દર્દીઓની લાઈન જોવા મળી રહી છે. દર્દીઓની સંખ્યા વધતા વોર્ડની લોબીમાં બેડ પાથરવા આવ્યા છે. હોસ્પિટલના વોર્ડ નંબર-10ની બહાર લોબીમાં દર્દીઓ માટે બેડ પાથરવામાં આવ્યા છે.
વોર્ડનંબર 10ની લોબીમાં બેડ પાથર્યા
રાજકોટ શહેરમાં રોગચાળો થયો બેકાબુ થયો છે. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો જોવા મળ્યો છે. OPD સેન્ટરમાં દર્દીઓની કતારો લાગી છે. દર્દીઓની સંખ્યા વધતા વોર્ડની લોબીમાં બેડ પાથરવા પડ્યા છે. વોર્ડ નંબર-10ની બહાર લોબીમાં બેડ પાથરવામાં આવ્યા છે.
સરકારની ખાલી જાહેરાતો
એક બાજુ સરકાર જાહેર કરે છે કે, અમે રોગચાળાને નાથીશું. કાબુમાં લાવીશુ. સબસલામત છે પણ વાસ્તવિકતા આ દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો જોઈને છતી થઈ જાય છે.
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની દાદાગીરી
રાજકોટમાં રોગચાળાના આંકડા છુપાવાઈ રહ્યા છે અને ઉપરથી ડોક્ટરોની દાદાગીરી પણ જોવા મળી હતી. હોસ્પિટલ સ્ટાફે મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યુ હતુ. મીડિયા દ્વારા ડેન્ગ્યુ સમાચારનુ કવરેજ કરાતા ડોક્ટર વિફર્યા હતા. લોબીમાં સારવાર લઈ રહેલા દર્દીનુ કવરેજ કરતા ડોક્ટરોએ વિરોધ કર્યો હતો.
ડેન્ગ્યુના દર્દીઓના લોબીમાં અપાઈ રહી છે સારવાર
બેકાબુ રોગચાળાને છુપાવવા તંત્રના પ્રયાસો કામ નથી કરી રહ્યા. ડોકટરે કેમરા સામે કબુલ્યુ કે ડેન્ગ્યુની માહીતી છુપાવવામાં આવી રહી છે. રોગચાળાના આંકડા છુપાવવાનો વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યુ છે તે હાલતો સાચો હોવાનો લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT