બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જો પાવાગઢ મહાકાળી મંદિરે જવાના હોય તો વાંચી લેજો આ સમાચાર, કરાયો ખાસ ફેરફાર
Last Updated: 06:26 AM, 20 February 2026
Pavagadh Mahakali Temple : પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢનું પ્રખ્યાત મહાકાળી મંદિર લાખો ભક્તોની આસ્થા સાથે જોડાયેલું યાત્રાધામ છે. દર વર્ષે અહીં હોળીનો તહેવાર વિશેષ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. જોકે આ વર્ષે હોળી સાથે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન સમયને લઈને મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
હોળી પ્રગટાવવાની પરંપરા
તા. 3 માર્ચ 2026, સોમવારના રોજ સાંજે 5:00 વાગ્યે પાવાગઢ ખાતે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ અહીં હોળી પ્રગટ્યા પછી આસપાસના ગામોમાં હોળી દહન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો હાજરી આપે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : સગીરાના દુષ્કર્મ-અપહરણ કેસમાં આરોપી અને તેને આશરો આપનાર બેન-બનેવીને પણ 20 વર્ષની કેદ
ADVERTISEMENT
ચંદ્રગ્રહણને કારણે દર્શન સમય બદલાયો
આ વર્ષે ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના નિયમિત સમયપત્રકમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 5:00 વાગ્યે આરતી યોજાશે. ભક્તો માટે સવારે 8:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને મંદિર બંધ રાખવામાં આવશે. મંદિર ટ્રસ્ટે ભક્તોને વિનંતી કરી છે કે, તેઓ દર્શન માટે સમયનું ખાસ ધ્યાન રાખે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે. તા. 4 માર્ચ 2026થી મંદિર ફરી નિયમિત સમય મુજબ ખુલ્લું રહેશે. મંગળ આરતી અને દર્શન યથાવત શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.