બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફારની આજે જાહેરાત, 9 મહિનાની લડત બાદ લગ્ન નોંધણી મુદ્દે સરકારનો સ્વીકાર
Last Updated: 10:37 AM, 20 February 2026
Marriage Registration Rule changes : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વિધાનસભામાં લગ્ન નોંધણી સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરશે. લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને પ્રક્રિયામાં રહેલી જટિલતાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ જાહેરાતને કારણે લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને સમયબદ્ધ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સરકાર તરફથી મળતી માહિતી અનુસાર તાકીદની જાહેર અગત્યની બાબતોને ધ્યાનમાં રાખીને નિયમોમાં જરૂરી સુધારા કરાયા છે. વિધાનસભામાં થનારી આ જાહેરાત બાદ લગ્ન નોંધણીની પદ્ધતિ, જરૂરી દસ્તાવેજો અને સમયમર્યાદા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર થવાની શક્યતા છે. નવા નિયમોથી નાગરિકોને સરળતા મળે અને અનાવશ્યક વિલંબ ટળે તે દિશામાં આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે
ADVERTISEMENT
" દરેક પરિવારમાં આ પ્રશ્ન હતો કે ભાગેડુ લગ્નમાં દીકરીઓ સાથે છેતરપિંડી મોટા પાયે થતી હોય છે. અને સાથે સાથે લગ્ન નોંધણી પ્રક્રિયામાં પણ ખામી હોવાના લીધે આ પ્રશ્નો બનતા હતા. તે સુધારવાની સરકારે આજે પહેલા કરી છે તેને અમે આવકારીએ છીએ. આ ઉપરાંત જો આમાં હજુ કોઈ ખામી લાગે કે સમસ્યા ઊભી થાય તો સરકારે પોર્ટલ ઓપણ રાખ્યું છે કે જ્યાં ફરિયાદ થઈ શકે, રજૂઆત થઈ શકે અને રસ્તો થઈ શકે. આ બિલથી અમારી એટલી જ અપેક્ષા છે કે ભાગેડુ લગ્ન માટે પગલાં લેવાય અને સહમતીથી થતાં લગ્નમાં કોઈ અડચણ ના આવે. "
લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને લઈને આજે વિધાનસભામાં મહત્વપૂર્ણ જાહેરાત થવાની છે. આ મુદ્દે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી સમાજ આ સુધારાની માંગ કરી રહ્યો હતો અને હવે સરકારે આ માંગનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ વિધાનસભામાં રૂબરૂ બેસીને જાહેરાત સાંભળશે. જો કોઈ સમાજ કે વ્યક્તિ પાસે સૂચનો હશે તો તે સરકાર સમક્ષ પહોંચાડવામાં આવશે. બાંભણિયાના જણાવ્યા અનુસાર આ મુદ્દે તમામ સમાજોએ સમર્થન આપ્યું છે અને જરૂરી સુધારાઓ માટે પોર્ટલ મારફતે રજૂઆત કરવાની પણ વ્યવસ્થા રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આંદોલન સાથે જોડાયેલા વરુણ પટેલે જણાવ્યું કે છેલ્લા 9 મહિનાથી તેઓ આ મુદ્દે લડત ચલાવી રહ્યા હતા. તેમની રજૂ કરેલી 9 મુદ્દાઓમાંથી 8 મુદ્દાનો સરકારે સ્વીકાર કર્યો હોવાનું તેમણે જણાવ્યું. સરકાર નવા નિયમોની સત્તાવાર જાહેરાત બાદ એક મહિનાનો સમયગાળો પણ આપશે. જેથી લોકો નવા નિયમો અંગે સમજૂતી મેળવી શકે અને જો જરૂરી હોય તો પોતાની રજૂઆત કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.