બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું સરકાર આવશે મદદે? માવઠાના મારને કારણે જુનાગઢના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી

વિસાવદર / શું સરકાર આવશે મદદે? માવઠાના મારને કારણે જુનાગઢના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી

Priyankka Triveddi

Last Updated: 08:34 AM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Farmer News: માવઠાના મારથી પાક નિષ્ફળ જતા જૂનાગઢના વિસાવદર વિસ્તારમાં વધુ એક ખેડૂતે આર્થિક સંકડામણમાં આવી આપઘાત કર્યો છે.

Visavadar Khedut Aapghat: ગુજરાતમાં આ વર્ષે પડેલા કમોસમી માવઠાએ ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનેક વિસ્તારોમાં મગફળી, ડુંગળી અને ઉનાળુ પાક પર ખાસ અસર જોવા મળી છે. સતત નુકસાનને કારણે ખેડૂતોની આર્થિક નબળી હાલત વધુ ગંભીર બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાક નિષ્ફળ જવાથી અંદાજે પાંચ જેટલા ખેડૂતો આપઘાત જેવું ગંભીર પગલું ભરી ચૂક્યા છે. તાજી ઘટના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઈશ્વરીયા (ગીર) ગામમાંથી સામે આવી છે. જ્યાં એક ખેડૂતે જીવન ટુંકાવી દીધું છે.

વિસાવદરના ઈશ્વરીયા ગામના ખેડૂતે ટૂંકાવ્યું જીવન

મળતી માહિતી મુજબ ઈશ્વરીયા ગામના 42 વર્ષીય શૈલેષભાઈ દામજીભાઈ સાવલિયાએ આર્થિક સંકડામણ સહન ન થતા પોતાના ખેતરમાં જ ઝેરી દવા પીને આપઘાત કર્યો. માત્ર દસ વીઘા જમીન ધરાવતા ખેડૂતએ મગફળી, ડુંગળી અને ઉનાળુ પાક તરીકે તલ અને અડદનું વાવેતર કર્યું હતું. પરંતુ માવઠાની અસર અને કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ રહ્યા હતા જેને લઈને તેઓ ઘણા સમયથી ઊંડી ચિંતામાં હતા. પાક બરબાદ થતા આવકનો કોઈ સ્ત્રોત ન બચ્યો હતો અને દેવાના બોજાએ બીજી તકલીફમઉમેરો કર્યો હતો.

શૈલેષભાઈ-દામજીભાઈ-સાવલિયા

સ્કૂલ ફીનું દબાણ પણ કારણ

મૃતક ખેડૂતના પરિવારજનોના જણાવ્યા મુજબ શૈલેષભાઈ તેમના બે સંતાન, દીકરી અને દીકરાની સ્કૂલ ફીની ચિંતા સાથે સંઘર્ષ કરી રહ્યાં હતા. આવક વગર વધતા ખર્ચો અને માવઠાથી થયેલા નુકસાનનો બોજ તેમણે સંભાળી શક્યા ન હતા. પરિવારની જરૂરિયાતો પૂરી કરવાની દોડધામમાં તેઓ માનસિક રીતે તૂટી પડ્યા હતા. અંતે ખેતરમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવતાં સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ હતી. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વચ્ચે વરસાદ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી

vtv app promotion

પોલીસ તપાસ ચાલુ

ઘટના અંગે વિસાવદર પોલીસે આપઘાતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. ખેડૂતના મોતથી સમગ્ર પંથકમાં ચિંતા છવાઈ ગઈ છે, કારણ કે છેલ્લા સમયગાળા દરમિયાન ખેડૂતોના આપઘાતની ઘટનાઓ વધી રહી છે. માવઠાના આકરા મારથી ખેડૂતો ભારી નુકસાન વેઠી રહ્યા છે અને આર્થિક સંકડામણમાં ફસાઈ રહ્યા છે. પાક નિષ્ફળતા, વધતી ખેતી ખર્ચની ચિંતા અને બજારના અનિશ્ચિત માહોલ વચ્ચે ખેડૂતોની હાલત વધુ કફોડી બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News Visavadar Farmer #Khedut Aapghat
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ