બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus update 2 november 2020 Gujarat

મહામારી / આજે નવા 875 કેસ નોંધાયા, રાજકોટ અને જામનગર માટે કોરોનાને લઇને મોટા સમાચાર

Kavan

Last Updated: 07:18 PM, 2 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કેસ 81 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 22 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 900થી ઓછા નવા કોરોનાના કેસ નોંધાયા છે. નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં નવા 875 કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં 12,700 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 61 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • રાજ્યનો રિકવરી રેટ 90 ટકાને પાર
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 875 નવા કેસ
  • કુલ સાજા થનારનો આંકડો 1,58,201 પર પહોંચ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 875 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,74,679 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 90.60 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 813.54 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 52,880 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 61,57,811 પર પહોંચ્યો છે.  

1004 દર્દીઓ થયાં સાજા, 5ના મોત

આજે 1004 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,58,201 પર પહોંચ્યો છે. આજે 4 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,728 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 12,700 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. 

આ 3 જિલ્લામાં કુલ 4 દર્દીઓના મોત

આજે કોરોના વાયરસે 4 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 1, બનાસકાંઠીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.

આ 3 મહાનગરોમાં ચિંતાજનક કેસ

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 206, અમદાવાદમાં 177, વડોદરામાં 110 કોરોનાના કેસ નોંધાયા છે.

ગુજરાતના 2 જિલ્લા રાજકોટ અને જામનગરમાં 50થી ઓછા કેસ

ગુજરાતના 2 જિલ્લા રાજકોટ અને જામનગરમાં 50થી ઓછા કેસ નોંધાયા છે. આજે રાજકોટમાં 42 અને જામનગરમાં 32 કેસ નોંધાયા છે. જોકે વડોદરામાં 110 કેસ નોંધાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ