બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Khevna
Last Updated: 05:25 PM, 7 May 2022
4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે 'વ્યોમ' ટ્રેક્ટર
પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતોના કારણે વધતી મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. ભલે પછી શાકભાજી-ફળો હોય, કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડું... બધુ મોંઘું થઈ ગયું છે. ખેડૂત પણ બળતણના વધતા ભાવોથી હેરાન છે. તેવામાં ઘણા લોકો ઈલેક્ટ્રીક વાહનોનું વલણ ધરાવી રહ્યા છે. પરંતુ આ વિજળીથી ચાલનારા વાહનો ખરીદવા એ બધાની ક્ષમતા નથી. તેવામાં ગુજરાતના એક યુવકે બેટરીથી ચાલનારૂ 'ઈલેક્ટ્રીક ટ્રેક્ટર' બનાવીને લોકોમાં સોશિયલ મીડીયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
ગુજરાતના પિપ્પર ગામનો છે મામલો
'ખાનગી ન્યુઝ એજન્સી' ના રિપોર્ટ મુજબ, ગુજરાતના જામનગર જિલ્લામાં કલાવાડ તાલુકાના પિપ્પર ગામમાં રહેતા 34 વર્ષીય મહેશભાઈએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કંટાળીને બેટરીથી ચાલતી 'વ્યોમ' નામનું એક ટ્રેક્ટર તૈયાર કર્યુ છે. વાસ્તવમાં, મહેશના પિતા એક ખેડુત છે. તેથી તેઓ બાળપણથી જ ખેતીવાડીનું કામ જોતા અને કરતા આવ્યા છે.
ફુલ ચાર્જ પર ચાલે છે 10 કલાક
આ ઈલેક્ટ્રીક ટ્રેક્ટર 22 HP પાવર લે છે, જેમાં 72 વોટની લિથિયમ બેટરી લાગેલી છે. આ એક સારી ક્વોલિટીની બેટરી છે, જેને વારે-વારે બદલવાની જરૂર પડતી નથી. આ ટ્રેક્ટરને પુરી રીતે ચાર્જ થવામાં 4 કલાક લાગે છે, જેના પછી તે 10 કલાક ચાલી શકે છે! અને હા, આમાં કેટલાક ગજબના ફીચર્સ પણ છે. જેમકે ટ્રેક્ટરની સ્પીડને ફોનથી કંટ્રોલ કરી શકાય છે. તેમાં એક મોટર પણ લાગેલી છે જેને પાણીની જરૂર પડવા પર ઊપયોગ કરી શકાય છે. આ ટ્રેક્ટરથી પ્રદુષણ ફેલાતુ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT