બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat Congress leaders met the High Command in Delhi

રાજરમત / ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓ હાઇકમાન્ડને મળ્યા, જાણો સંગઠનના કયા મામલે દિલ્હીમાં કરાઈ ચર્ચા

Published By: Shyam

Last Updated: 02:32 PM, 23 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓ હાઇકમાન્ડને મળ્યા હતા, બેઠકમાં ભાગ લેનાર MLA હિંમતસિંહ પટેલે કહ્યું, ખાલી પદ પર નિમણૂકો ઝડપથી થઈ જશે

  • ગુજરાત કોંગ્રેસનો જૂથવાદ દિલ્લી પહોંચ્યો
  • કોંગ્રેસના નારાજ નેતાઓ હાઈકમાન્ડને મળ્યા
  • ખાલી પદ પર નિમણૂંકો ઝડપથી થશેઃ હિંમતસિંહ

ગુજરાત કોંગ્રેસનો જૂથવાદ દિલ્લી સુધી પહોંચ્યો છે. ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓ હાઇકમાન્ડને મળ્યા હતા. બેઠકમાં ભાગ લેનાર MLA હિંમતસિંહ પટેલે કહ્યું, ખાલી પદ પર નિમણૂકો ઝડપથી થઈ જશે. કે.સી.વેણુગોપાલ સાથેની બેઠક સારી રહી. 2022ની વિધાનસભાની ચૂંટણીના રોડમેપ અંગે ચર્ચા થઈ હતી. હાલ ગુજરાતમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે તે અંગે ચર્ચા થઈ હતી. પ્રભારી સિવાયનું કોઈ પદ હાલ ખાલી કહેવાય નહીં. પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા કાર્યરત છે. વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણી કાર્યરત છે.

અગાઉ કોંગ્રેસના નેતાઓની નરેશ રાવલના ઘરે થઈ હતી બેઠક

નરેશ રાવલના ઘરે થોડા દિવસો અગાઉ બેઠક મળી હતી. ત્યારે અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને પરેશ ધાનાણીની ટીમ સિવાયના જૂથની બેઠકમાં સોનિયા ગાંધી સમક્ષ કયા મુદ્દાઓ રાખવા તેને લઈ ચર્ચા થઈ હોવાની સૂત્રોની માહિતી સામે આવી હતી. મહત્વનું છે કે, નરેશ રાવલના ગ્રૂપ દ્વારા સોનિયા ગાંધી પાસે મુલાકાતનો  સમય મંગાયો હતો. સોનિયા ગાંધી સમક્ષ ગુજરાત કોંગ્રેસના પ્રશ્નો સહિતના મુદ્દાઓને લઇ ચર્ચા કરાશે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં નિરીક્ષક, પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અંગે ચર્ચા કરાશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

congress delhi gujarat કોંગ્રેસ ગુજરાત દિલ્હી congress

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ