ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી આગામી 15 ઓગસ્ટની ઉજવણીને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના સંકટ વચ્ચે રાજ્યમાં લોકડાઉન-3 લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન-3માં રાજ્યભરમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં કોરોનાના કારણે જાહેર કરાયેલી ગાઇડલાઇન મુજબ જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવશે.
રાજ્યમાં 15મી ઓગસ્ટની ઉજવણીને લઇને જાહેરનામું
રાજયકક્ષાના કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર અપાશે
મુખ્યમંત્રીનું પ્રવચન અને રાષ્ટ્રગાન થશે
ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટની ઉજવણીને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્રવચન તેમજ રાષ્ટ્રગાન થશે.
આમ રાજ્યમાં 15મી ઓગસ્ટની ઉજવણીને લઇને જાહેરનામું જાહેર કરાયું છે. આ સાથે તાલુકા અને જિલ્લા કક્ષાની ઉજવણીને લઇને પણ ગાઇ઼ડલાઇન જાહેર કરાઇ છે. જિલ્લાના કાર્યક્રમમાં 150 આમંત્રિતોને રાખવાનો હુકમ કરાયો છે.
જ્યારે ઉજવણી દરમિયાન મંચ પર 5 જ મહાનુભાવો જ ઉપસ્થિત રહેશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં 100 આમંત્રિતો રાખવા સૂચના અપાઇ છે. ગ્રામ પંચાયત કક્ષાએ 50 લોકોને જ આમંત્રણ આપવાનો ગાઇડલાઇનમાં ઉલ્લેખ કરાયો છે.