બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government's flagship plan for irrigation electricity, statement by Agriculture Minister Raghavji

ગુજરાત / ખેડૂતો માટે ઓગસ્ટ મહિનો ગયો કોરોધાકોર, સિંચાઇ વીજળી માટે સરકારનું શું છે આગવું આયોજન, કૃષિમંત્રી રાઘવજીનું પાણીદાર નિવેદન

Dinesh

Last Updated: 06:51 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુર, નવસારી, બનાસકાંઠા સહિતના જિલ્લામાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોએ વાવેલા વરસાદી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે

  • વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી
  • ચોમાસું પાક નિષ્ફળ જવાની ભીતિ
  • તંત્ર સિંચાઈની સુવિધા કરે તેવી માગ


રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે છોટાઉદેપુર, નવસારી, બનાસકાંઠા સહિતના જિલ્લામાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોએ વાવેલા વરસાદી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કઠોળના પાકનું ઉત્પાદન થાય છે. 

નસવાડીના ખેડૂતોની માંગ
મકાઈ, તુવેર, ડાંગર, અડદ જેવા પાકને અત્યારે પાણીની અત્યંત જરૂરિયાત છે. સરકારે આદિવાસી વિસ્તારમાં આવેલી નર્મદા નદી મારફતે છેક સૌરાષ્ટ્ર સુધી પાણી કેનાલ મારફતે પહોંચાડ્યું છે. ત્યારે સરકાર નસવાડીમાં પણ સ્થાનિક ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા કરી આપે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા ખેડૂતો ચિંતામાં છે. વરસાદ ખેંચાયો છે ત્યારે, ઉર્જા અને સિંચાઈ વિભાગ સંકલનમાં છે. વરસાદ વધારે ખેંચાય તો સિંચાઈ વિભાગ પાણી આપવા તૈયાર તેમજ સિંચાઈ અને ઉર્જા વિભાગને CMએ સૂચના આપી છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલ

અંબાલાલ પટેલે આગાહી કરી
છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. ત્યારે વરસાદની ઘટથી ચિંતિત ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 6થી 12 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાત પર આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.  6 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત થશે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે. 

Meteorologist Ambalal Patel's prediction regarding rain in Gujarat

વરસાદની શક્યતા
મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે પોરબંદર અને જામનગરમાં વરસાદી ઝાપટા પડશે. વલસાડ, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ