બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Pravin
Last Updated: 12:37 PM, 18 June 2022
સરકારી કર્મચારીઓના પગાર વધારાને લઈને અત્યાર સુધી સરકાર અમુક સમયના અંતરે નવું પગાર પંચ લાગૂ કરતી હતી. જેની ભલામણોના આધાર પર સેલરીમાં વધારો આવતો હતો. પણ મોદી સરકાર હવે નવું પગાર પંચ લાગૂ કરવાની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાવવાની તૈયારી કરી રહી છે.
અત્યાર સુધી કેન્દ્ર તથા રાજ્યના કર્મચારીઓને વેતન વધારો ઉપરાંત દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળતો હતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, નાણામંત્રાલય પગાર વધારાની નવી ફોર્મ્યુલા પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે, અત્યારે કર્મચારીઓ માટે નવા પગાર પંચ નહીં આવે, પણ કર્મચારીઓના પરફોર્મેંસના હિસાબે તેમની સેલરીમાં વધારો આવશે. જો કે, ભવિષ્યમાં આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરશે, તેના પર સરકાર હજૂ મંથન કરી રહી છે.
6 વર્ષ પહેલા થઈ હતી નવી ફોર્મ્યુલા પર વાત
પગાર પંચની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાગૂ કરવા માટે 6 વર્ષ પહેલા વાત થઈ હતી. તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં કહ્યું હતું કે, હવે કર્મચારીઓને પગાર પંચથી હટીને વિચારવાની જરૂર છે. માનવામા આવી રહ્યું છે કે, સરકાર હવે તેના પર વિચાર કરીને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે.
આવું હોઈ શકે છે નવુ ફોર્મ્યુલા
કર્મચારીઓની સેલરી વધારવાની નવી ફોર્મ્યુલાને હાલમાં અંતિમ મંજૂરી આપવામાં આવી નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે, તે સમગ્રપણે ડીએ આધારિત હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ફોર્મ્યુલા અંતર્ગત કર્મચારીઓના ડીએ 50 ટકા વધતા જ તેમની સેલરીમાં ઓટોમેટિક વધારો આવી જશે. આ ઓટોમેટિક પે રિવીઝનનું નામ આપવામાં આવી શકે છે. જેનો લાભ કેન્દ્રના 68 લાખ કર્મચારીઓ અને લગભગ 52 લાખ પેન્શનધારકોને મળશે.
નાના સ્તરના કર્મચારીઓને મોટો ફાયદો
સરકારની આ ફોર્મ્યુલાનો સૌથી વધારે લાભ નાના સ્તરના કર્મચારીઓને મળશે. જો કે, હાલમાં ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. એવું માનવામા આવી રહ્યું છે કે, નવા નિયમ લાગૂ થયા બાદ નિન્મ સ્તર પર કર્મચારીઓની સેલરી વધી જશે. જે અંતર્ગત લેવલ મેટ્રિક્સ 1થી 5 કર્મચારીઓને ન્યૂનતમ બેસિક સેલરી 21 હજાર રૂપિયા થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT