બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Bijal Vyas
Last Updated: 10:05 PM, 5 April 2023
Good Friday 2023 : ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુ ખ્રિસ્તને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલી માન્યતા અનુસાર તેને નિર્દોષ હોવા છતાં મોતની સજા આપવામાં આવી હતી. જે દિવસે જીસસ ક્રાઈસ્ટને ક્રુસ પર ચઢાવવામાં આવ્યા હતા અને મૃત્યુ પામ્યા તે શુક્રવાર હતો, ત્યારથી આ દિવસ ગુડ ફ્રાઈડે તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ઇસુ ખ્રિસ્તના અનુયાયીઓ માને છે કે આ ઘટનાના માત્ર ત્રણ દિવસ બાદ જ ઇસુ ખ્રિસ્ત જીવીત થયા હતા.
ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલી માન્યતા અનુસાર, જે દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્ત ફરી જીવીત થયા તે દિવસ રવિવાર હતો. આ જ કારણ છે કે ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઈસ્ટર સન્ડેનો તહેવાર મનાવવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં, આ બંને દિવસો ભગવાન ઇસુ ખ્રિસ્તની પ્રાર્થના માટે ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ વર્ષે, ગુડ ફ્રાઈડે 07 માર્ચ, 2023ના રોજ આવી રહ્યો છે, જ્યારે ઈસ્ટર સન્ડે 09 માર્ચ, 2023ના રોજ આવશે. ચાલો જાણીએ ગુડ ફ્રાઈડેનું ધાર્મિક મહત્વ અને તેના ઈતિહાસ વિશે.
બપોરે કરવામાં આવે છે વિશેષ પ્રાર્થના
ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તના અનુયાયીઓ ખાસ કરીને તેમની પ્રાર્થના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ચર્ચમાં જાય છે. આ સાથે ઘણા લોકો આ દિવસે વ્રત પણ રાખે છે. ગુડ ફ્રાઈડેના દિવસે દેશના તમામ ચર્ચોમાં વિશેષ પ્રકારની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે.
ગુડ ફ્રાઈડેના રોજ ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે તેમના અનુયાયીઓ કાળા કપડાં પહેરે છે અને ચર્ચમાં જાય છે. ગુડ ફ્રાઈડેના દિવસે ચર્ચમાં ઘંટ કે મીણબત્તીઓ પ્રગટાવવામાં આવતી નથી. આ દિવસને બ્લેક ફ્રાઈડે તરીકે પણ ઓળખવામાં પણ આવે છે.
કેવી રીતે ઉજવવામાં આવે છે ગુડફ્રાઇડે
ખ્રિસ્તી ધર્મ અનુસાર, ઇસ્ટર તહેવારના પ્રથમ સપ્તાહને ઇસ્ટર વીક કહેવામાં આવે છે. ગુડ ફ્રાઈડે પર, લોકો ઉપવાસ રાખે છે અને વિશેષ પ્રાર્થના સભાઓમાં હાજરી આપે છે આ સાથે પવિત્ર ધાર્મિક ગ્રંથ બાઇબલ વાંચે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભગવાન ઇસુ ખ્રિસ્ત તેમના દ્વારા જાણતા-અજાણતા કરેલા પાપોને માફ કરી દે છે. આ રીતે તેઓ તેમના પાપોમાંથી મુક્તિ મેળવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો