બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / gehlot govt took big action against the bulldozer on the temple in alwar rajasthan
Dhruv
Last Updated: 07:47 AM, 26 April 2022
રાજસ્થાનના અલવરમાં અતિક્રમણ હટાવવા દરમિયાન મંદિર પર બુલડોઝર ચલાવવા મામલે ગેહલોત સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેહલોત સરકારે રાજગઢ નગરપાલિકાના અધ્યક્ષ સહિત ત્રણ લોકોને આ મામલે સસ્પેન્ડ કર્યા છે. અલવરના રાજગઢમાં મંદિર પર બુલડોઝર ચલાવવા મામલે ત્રણ મોટા લોકો પર આરોપ લાગ્યો છે.
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે આ મામલે કાર્યવાહી કરીને રાજગઢ નગરપાલિકા પ્રમુખ સતીશ દુહરિયાને સસ્પેન્ડ કરી દીધા છે. રાજગઢ નગરપાલિકાના કાર્યકારી અધિકારી બનવારીલાલ મીણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એ સિવાય SDM કેશવ કુમાર મીણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Rajasthan government has suspended Rajgarh Sub-Divisional Magistrate (SDM) Keshav Kumar Meena, Rajgarh Municipality Board's chairman Satish Duharia and Executive Officer (EO) of the nagar panchayat, Banwari Lal Meena with immediate effect over temple demolition in Alwar
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 25, 2022
રાજસ્થાન હાઈકોર્ટના એક વકીલે નોંધાવી હતી FIR
જણાવી દઈએ કે, રાજસ્થાન હાઈકોર્ટના એક વકીલે રાજગઢમાં પ્રાચીન શિવ મંદિર તોડનારા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, પરંતુ રાજગઢમાં નગર પરિષદના નિર્ણય બાદ અતિક્રમણ વિરુદ્ધની કાર્યવાહીમાં માત્ર એક મંદિર તોડવામાં નથી આવ્યું, પરંતુ 140થી વધારે દુકાનો પણ તેની ઝપેટમાં આવી ગઈ છે.
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન
બાદમાં આ કાર્યવાહીથી પ્રભાવિત લોકોએ સોમવારે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધને ઉગ્ર બનતો જોઈ પોલીસ કેટલાંક લોકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કરી દેતા બાકીના લોકો ગુસ્સે થઈ ગયા. જેથી થોડી જ વારમાં તેઓને ફરીથી કારમાંથી બહાર કાઢવામાં આવ્યાં. ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો. સરકારે અસરગ્રસ્ત લોકોના પુનર્વાસના કાર્યની દેખરેખ રાખવાની જવાબદારી કમિશનરને સોંપી છે.
અલવરમાં તંત્રએ 300 વર્ષ જૂના મંદિરો પર બુલડોઝર ચલાવી દીધું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના અલવરમાં નગરપાલિકા દ્વારા બુલડોઝર દ્વારા કાર્યવાહી કર્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં તંત્રએ 300 વર્ષ જૂના મંદિરો પર બુલડોઝર ચલાવી દીધું હતું. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતાં.
ભાજપે કર્યો હતો ઉગ્ર વિરોધ
અલવરમાં થયેલી કાર્યવાહી બાદ બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. તેઓએ ટ્વિટ કર્યું હતું કે, 'અલવરમાં 300 વર્ષ જૂના શિવ મંદિરને તોડી પાડવું એ રાજસ્થાનની કોંગ્રેસ સરકારની ધર્મ વિરોધી માનસિકતા દર્શાવે છે. મુખ્યમંત્રી, તમે આ બુલડોઝરનો ઉપયોગ તોફાનીઓ અને ગુનેગારો સામે પગલાં લેવા માટે કર્યો હોત તો સારું થાત.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો