બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / garuda purana lord vishnu niti know what form you will be reborn after death

ગરુડ પુરાણ / લોકોને મૂર્ખ બનાવનાર અને ગાળો દેનારને મળે છે આવો જન્મ, જાણીને આજ જ સુધરી જશો

Hiralal

Last Updated: 10:16 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરુડ પુરાણની માન્યતા અનુસાર ગાળો દેનાર અને લોકોને મૂર્ખ બનનાર લોકોને નરકની ભયાનક યાતના સહન કરવી પડે છે અને પશુ-પક્ષી તરીકે જન્મ મળે છે.

  • મરણ પહેલા નક્કી થઈ જાય છે પુનઃજન્મ
  • ગાળો દેનાર લોકો બકરા બને છે
  • લોકોને મૂર્ખ બનાવનારને મળે છે ઘુવડનો અવતાર
  • ગરુડ પુરાણમાં જણાવાયું છે

શાસ્ત્રો અનુસાર આપણે આપણા કર્મોના આધારે આ જગતમાં માનવ યોનિમાં જન્મ્યા છીએ અને આપણો આગામી જન્મ પણ કર્મના આધારે જ થશે. ગરુડ પુરાણ મુજબ સારા કે ખરાબ કર્મોના આધારે આગળ વ્યક્તિનો જન્મ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં મૃત્યુ વિશે કહે છે કે જન્મ અને મૃત્યુ એ જીવનનું એવું ચક્ર છે, જેમાંથી દરેકને પસાર થવું પડે છે. એટલે જેણે સંસારમાં જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને આ એક અટલ સત્ય છે.

84 લાખમાંથી એકમાત્ર માનવ યોનિ સર્વશ્રેષ્ઠ 
ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી માત્ર શરીરનો જ નાશ થાય છે, આત્માનો નહીં. આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. ગરુડ પુરાણમાં કુલ 84 લાખ યોનિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આવામાં માનવ યોનિને શ્રેષ્ઠ યોનિ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કર્મના આધારે જન્મેલી યોનિ વિશે જણાવવામાં આવ્યું છે. એટલે કે મૃત્યુ પછી તમે કઈ યોનિમાં જન્મ લેશો, તે પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે. કારણ કે તમે તમારા જીવનમાં જે પ્રકારનું કામ કરો છો, તેનો જન્મ પણ મૃત્યુ બાદ જ થશે. આવો જાણીએ એવા જ પાંચ કર્મો વિશે જે આગામી જન્મ નક્કી કરે છે.

ધર્મનું અપમાન કરનાર : ગરુડ પુરાણમાં જણાવ્યા પ્રમાણે ધર્મ, વેદ, પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોનું અપમાન કરનાર વ્યક્તિને કૂતરાનો અવતાર મળે છે. 

મિત્ર સાથે દગાબાજી કરનારને : મિત્રતા એ વિશ્વનો સૌથી સુંદર સંબંધ છે. પરંતુ કેટલાક લોકો મિત્ર સાથે છળકપટ અને દગાબાજી કરે છે. આવા લોકોને ગીધ તરીકે જન્મવું પડે છે. 

લોકોને મૂર્ખ બનાવનાર : લોકોને મૂર્ખ બનાવનાર અથવા તો તેમના ભોળપણનો લાભ લેનાર લોકો ઘુવડ તરીકે ફરી જન્મે છે. 

કટુ વચન બોલનારને બકરીનો જન્મ મળે છે 
જે લોકોની વાણીમાં મધુરતા નથી હોતી અને જે લોકો બીજા સાથે ખરાબ વાતો કરે છે કે હંમેશા તેમને ગાળો આપે છે, તેઓ બકરી બનીને જન્મે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ