બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Bijal Vyas
Last Updated: 09:31 PM, 9 September 2023
Ganesh Chaturthi 2023: સપ્ટેમ્બર મહિનાની 19 તારીખના રોજ ગણેશ ચતુર્થી છે. આ દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થશે જે 10 દિવસ ચાલશે. ગણેશ ઉત્સવના દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવે છે અને એમને વિરાજમાન કરે છે. જો તમે પણ બાપ્પાને ઘરે લાવવાનું વિચારી રહ્યા છો તો એની સાથે જોડાયેલા કેટલાક નિયમોનું જરૂર પાલન કરવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ગણેશજી ઘરે વિરાજમાન થતા નથી અને એમના આશીર્વાદ મળતા નથી. તો આવો જાણીએ જ્યોતિષ મુજબ, ગણપતિ બપ્પાને ઘરે લાવતા પહેલા કઇ બાબતોનું વિશેષ ધ્યાન રાખવુ જોઇએ...
આ નિયમોનું કરો પાલન
1. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની જમણી સૂંઢ વાળી સુંદર મૂર્તિ ઘરે લાવવી જોઈએ. ગણપતિ બાપ્પાની આરતી ઘરના દરવાજે કરવી જોઈએ અને પછી તેમને ઘરમાં લાવવા જોઈએ.
2. ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવતી વખતે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. બાપ્પાની મૂર્તિ લાવતી વખતે મહિલાઓ હોય તો તેમણે સોળે શ્રૃંગાર કરવા જોઈએ.
3. ઘરની જે જગ્યા પર બાપ્પા બિરાજવાના છે તે જગ્યા સારી રીતે સજાવી જોઈએ. આ ઉપરાંત જ્યાં બાપ્પાને બિરાજમાન કરવાના હોય ત્યાં લાલ રંગનું કપડું પાથરીને તેને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
4. ગણપતિ બાપ્પાને બિરાજમાન કર્યા પછી તેમને પવિત્ર દોરો અવશ્ય અર્પણ કરવો જોઈએ. આ સિવાય તેમની સામે કળશ સ્થાપિત કરવું જોઈએ.
5. કળશ સ્થાપિત કર્યા પછી તેમને દુર્વા ઘાસ, ફૂલ અને મોદક અર્પણ કરવા જોઈએ. આ ઉપરાંત અખંડ જ્યોત પણ પ્રગટાવવી જોઈએ.
6. આ પછી, વ્યક્તિએ સંપૂર્ણ વિધિ સાથે ગણપતિ બાપ્પાની આરતી કરવી જોઈએ અને તેમના પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ